The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
18
4.5k
17.3k
આનંદ મા રહો
તુટી ને સર્યા મોતી જેવા અશ્રુઓ વિરહી પળમાં મૃગજળ છે તૃષ્ણા અંમારી કરે ભવ રણ માં માયામાં સર્યા સ્વપ્નમાં મળ્યા અહીં છૂટે ક્ષણમાં ભાવ વિભોર વહ્યા પૂર આંખો માં સ્નેહી પળમાં -મોહનભાઈ આનંદ
હામ હૈયે રાખતા , હોડ કરે છે; કેમ દિલ તું ત્યાંય, બેજોડ કરે છે, નામ નામી કે , અનામી જ રહેતા, પ્રેમ માં કેવાં તું , જો ફોડ કરે છે. માન ક્યાં માગે,બિચારો થઇ જોને, હક માં ભીડી હામ જો કોડ કરે છે. કોણ જાણે આજ , રિસાઇ જઈને, ક્યાંક ગુસ્સાનો'ય,જો ડોળ કરે છે. હા સફર આનંદ, માણી પણ જોને, જીતવા જો જાય , મન તોડ કરે છે. -મોહનભાઈ આનંદ
સ્રી- શક્તિ સૃષ્ટિ ની શરૂઆત કેવી રીતે થઇ એનું દરેક ધર્મ માં , વર્ણન છે. સૃષ્ટિ કર્તા ને ઈચ્છા શક્તિ નું એ પરિણામ છે. સૃષ્ટિ માં અનેક પ્રકારના જીવો ઉત્પન્ન થયા છે. પરંતુ એ બધામાં એક સામાન્ય બાબત છે નર અને માદા છે. આ સૃષ્ટિમાં જન્મેલા દરેક જીવની ભીતર એક ઈચ્છા શક્તિ છે, એ શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આ પાંચ વિષયો ની તન્માત્રા માંથી કંઈક મેળવી સુખી કે આનંદિત થવા માગે છે. એ સ્વભાવિક સહજ અને પ્રાકૃતિક છે. સ્રી અને પુરુષ ના યુગલ સ્વરૂપ માં આકર્ષક રાખી,એ ભીતરી શક્તિ ના પ્રવાહ માંથી અનેક શરીરો ની ઉત્પન્ન થાય છે , અને કાળક્રમે વિલિન પણ થાય છે.એમાં સ્રી અને પુરુષ બન્ને ની રચના પ્રમાણે એક વિચાર પ્રધાન છે અને બીજું લાગણી પ્રધાન છે.આ બન્નેનો સમન્વય કરીને જ સાંસારિક જીવનમાં સફળતા મેળવી શકાય છે. કોઈ પણ એક બીજા થી અધિક કે ન્યૂન નથી. એ માતા કાલી, લક્ષ્મી અને સરસ્વતી સ્વરૂપ છે.ત્રિદેવ એ શક્તિ વગર અધૂરા છે. હંમેશાં તેમની આ શક્તિ ના કારણે જ આ બ્રહ્માંડની ગતિવિધિ ચાલે છે. જગત માં જેટલું પણ સૌંદર્ય , ઐશ્વર્ય , સમૃદ્ધિ દેખાય છે એ બધું સ્ત્રીત્વ છે.આ પ્રાકૃતિક સૌંદર્ય અને બ્રહ્માંડ ના દરેક લોકો, (૧૪) માં શક્તિ નો જ આવિર્ભાવ થાય છે, દેખાય છે કે હોય છે. સ્રી શક્તિ એ ઈશ્વરની મહામાયા છે, અને એના વગર સ્થૂળ સૂક્ષ્મ અને કારણ જગતની કોઈ પણ ગતિ વિધિ ચલાવી શકાય નહીં.મનુષ્ય લોકમાં (પૃથ્વી) સ્રી અને પુરુષ બન્ને ના સહયોગથી જ સંસાર માં, વિકાસ કે વૃધ્ધિ શક્ય છે. દરેકની પોતાની મર્યાદાઓ સમજી ને યથાયોગ્ય ઉચિત કર્મો કરવાથી જ સિધ્ધિ પ્રાપ્ત થાય છે. પરંતુ કાળના સંદર્ભે જોઈએ તો, સહજ સ્વાભાવિક રીતે જ સ્ત્રીઓ પર અત્યાચાર થતો આવ્યો છે. ધર્મ, રૂઢીચુસ્ત સમાજ ની માનસિકતા ના કારણે સ્રીઓ ને સહન કર્યું છે, અને આજ ના આધુનિક યુગમાં પણ સ્રી પર જાત જાતના ભેદભાવ, કે અત્યાચારો થયા છે.એ માટે પુરૂષ પ્રધાન સમાજ જવાબદાર છે. એ માટે કાયદાકીય રક્ષણ પણ ઘણી વાર નબળું પુરવાર થાય છે.તેથી સ્ત્રીને અબળા, નિર્બળ સમજી દબાવી દેવા માં આવે છે. એ સંસાર દર્પણમાં દેખાય છે. માનવ ને મન બુધ્ધિ ચિત અને અહં ( અંત:કરણ) ભગવાને આપ્યું છે. સ્રી અને પુરુષ બન્ને માં એ સમાન ભાવે જ હોય છે. શારિરીક ક્ષમતા બાદ કરતાં માનસિક અને બૌદ્ધિક ક્ષમતા માં સ્રી ની શક્તિ બિલકુલ બરાબર છે. એટલે જ આજે વૈજ્ઞાનિક યુગમાં સ્રી એ દરેક ક્ષેત્રમાં હરણફાળ ભરી છે. સનાતન ધર્મમાં સ્રી ને માતા લક્ષ્મી ની સ્વરૂપ અને પુરુષને ભગવાન નારાયણ નું સ્વરૂપ મનાયું છે. શાસ્ત્રોમાં વર્ણન છે કે. જે ઘરમાં સ્ત્રીનું સન્માન નથી થતું , ત્યાં લક્ષ્મી નો વાસ નથી. જે ઘરમાં શાંતિ ના હોય ત્યાં આનંદ કેવી રીતે હોઈ શકે. ઘણા કુટુંબોમાં ઘરના વડીલ દાદા દાદી કે માતા પિતા બધા નિર્ણય લેતા છે. એમાં મોટા ભાગે જે ઘરોમાં સ્ત્રી ઓની સહમતી અને સંમતિથી નિર્ણય લેવાય તો ઘણા પ્રશ્નો નુ સમાધાન સહજ થઈ જાય છે. અને સુખ શાંતિ સમૃદ્ધિ અવશ્ય મળે છે. સ્ત્રી માં ત્યાગની ભાવના સહજ હોય છે. સહિષ્ણુતા ઉદારતા અને સમર્પણ એ મુખ્ય ગુણધર્મ સ્ત્રીના છે. જે સમાજ ને, કુટુંબ ને ઉન્નતિ ની ઈચ્છા હોય તો તેણે સ્રી શક્તિ નું યથાયોગ્ય સન્માન કરવું જ પડશે
નવરાત્રી માહાત્મ્ય ============================== સર્વનું મંગલમય કરનાર માં જગત જનની આદ્યશક્તિ ની ઉપાસના નું પર્વ એટલે નવરાત્રિ. દરેક ઋતુ નો સંધિકાળ એટલે જ નવરાત્રી છે.આપણે મુખ્ય બે નવરાત્રી દરમિયાન માતાજી નું સ્થાપન કરી ઉપાસના કરીએ છીએ ૧. ચૈત્ર સુદ એકમથી.નવમી સુધી અને બીજી શારદિય નવરાત્રી આસો સુદ એકમ થી નવમી સુધી. ઋતુઓના સંધિકાળ દરમ્યાન વાતાવરણમાં એટલે કે પંચતત્વ માં ગજબ નું પરિવર્તન આવે છે તેની અસર દરેક સ્થૂળ અને સૂક્ષ્મ શરીર પર પડે છે. માનવ શરીર પંચમહાભૂત નું બનેલું છે, આ સૃષ્ટિમાં પણ એ પાંચ તત્વો જ છે તેથી અરસપરસ અસર થાય એ સ્વાભાવિક છે.એમા સૂક્ષ્માતિસૂક્ષ્મ કારણ શરીર માં રહેલી શક્તિઓને જાગૃત થાય અને એનો વિકાસ કરી માનવ ઉન્નતી કરે એ માટે નવરાત્રી દરમિયાન સાધન કરવાનું વિશેષ મહત્વ છે નવરાત્રી એટલે ગરબો રમી માતાજી ની આરતી સ્તુતિ કરી કે હવન કરવો એટલું જ સિમિત સમજવાનું નથી નવરાત્રી એ ખુબ જ દિવ્યતા પ્રાપ્ત કરાવનાર શક્તિ પર્વ છે. રાજા મહારાજા રાજયોગી અને ગૂઢ તપસ્યા કરનાર તપસ્વી ઓ અને તંત્ર મંત્ર યંત્ર ઈતર ની સિદ્ધ કરનાર યોગેશ્વર કે સાધકો નવરાત્રી પર્વ નું માહાત્મ્ય જાણ્યું છે. દશ મહાવિદ્યા કાલી ,તારા , બગલામુખી , માતંગી શ્રી વિદ્યા વગરે ની ઉપાસકોની મંત્ર સિધ્ધિ માટે નું પર્વ છે પૂજા, દર્શન ,જપ , સપ્તશતી પાઠ ,યજ્ઞ ઈત્યાદિ દ્વારા ભકતોને ભક્તિ દ્વારા શક્તિનો લાભ લેવાનું અને ખરેખર તો દુર્ગુણો નું વિસર્જન અને સદગુણો નું ઉપાર્જન કરી કામ,ક્રોધ, લોભ મોહ મદ મત્સર વગેરે ને જીતવા માટે નું આ મહત્વપૂર્ણ પર્વ છે. નાની બાલિકા ઓ માં ભગવદભાવ કરી કુમારિકા પૂજન કરી દૈવી શક્તિ નો અહેસાસ કરાવનાર માંગલ્ય પ્રદ પર્વ છે. શ્રી શક્તિ, બુધ્ધિ શક્તિ ,માયા શક્તિ, ક્રિયા શક્તિ, ઈચ્છા શક્તિ અને જ્ઞાન શક્તિ ની પ્રાપ્તિ માટેનું ઉત્તમ પર્વ છે. અષ્ટાંગ યોગ ની સાધના કરનાર કે , કુંડલિની શક્તિ જાગરણ માટે. ખૂબ જ ઉમદા સમય એ નવરાત્રી દરમિયાન હોય છે. લય યોગી માટે, કે હઠયોગ ની સિધ્ધિ માટે નવરાત્રી ઉત્તમ અવસર છે. શ્રી વિદ્યા કે બગલામુખી ના સાધકો માટે સુવર્ણ તક છે. બધાજ પ્રકારના યંત્ર મંત્ર ની સિધ્ધિ પ્રદાન કરનાર નવરાત્રી ના જેટલા પણ ગુણગાન કરીએ એટલા ઓછા છે. આ વિશ્વમાં પાંચ તત્વો નું વર્ગીકરણ અને ત્રણ ગુણો નું સામ્રાજ્ય છે. ભગવાન શ્રીકૃષ્ણ પણ ગીતા જ્ઞાન માં અષ્ટધા પ્રકૃતિ ની વાત કરે છે. એ પંચીકરણ દ્વારા દેહ નો વ્યવહાર ચાલે છે. શરીર માં જ્યારે તત્વો માં ગડબડ થાય ત્યારે રોગો થાય છે , તેનો ઉપચારો કરી રોગ પ્રતિકારક શક્તિ વધારી રોગો દૂર કરવા માં આવે છે. પરંતુ અમુક હઠીલા રોગોનો ઈલાજ થઈ શકતો નથી એવા અસાધ્ય રોગોનો ઈલાજ પ્રાણ ચિકિત્સા પદ્ધતિ થી કે યૌગિક ઉપચાર કે સાધનો દ્વારા ઠીક કરી શકાય છે.એ માટે સૂક્ષ્મ પ્રાણ સંવર્ધન કરવા નું આ પર્વ છે. આ ઈશ્વરીય શક્તિ થી પરિપૂર્ણતા પ્રાપ્ત થાય છે, પરંતુ આપણે નાસમજ છે ,આપણી સમજ થોડોક સ્વાર્થ પુરતી જ વ્યક્તિગત મર્યાદિત છે. પરંતુ સાધક જાણે છે.કે માં આદ્યશક્તિ તો અંદર બહાર, સ્થૂળ, સૂક્ષ્મ અને સૂક્ષ્માતિસૂક્ષ્મ કારણ શરીર માં છે, પુરા બ્રહ્માંડ ની ચાલક શક્તિ છે. અનંત બ્રહ્માંડની અધિષ્ઠાત્રી છે. એમની કૃપા દ્રષ્ટિ સદૈવ પશું પંખી વનસ્પતિ જીવ જંતુ માનવ ,દેવ દાનવ યક્ષ કિન્નર બધા પર એક સરખી જ છે. सर्वमंगल मांगल्ये शिवे सवार्थ साधिके शरण्येत्र्यंबके गौरी नारायणी नमोस्तुते
तेरा होना मुझमें, जीने का अंदाज़ सही, और मेरा तुझमें, होना दिल गुदाज़ सही । छु लेती है हवाएं मस्तानी बहार ए आलम, देखता हूं ख्वाब सच्चा दिलमें नाज़ सही । क्यु पुछताछ है, ओस की बूंदें, फूलों पर, आंखें लाजवाब है,अश्कों भीगी ही सही। तन्हाई का मंज़र है ,तो क्या हो जाएगा ? पतझड़ में भी यादें , दिलदार ताज़ा सही। मिलकर बीछडना, लगा रहता है जिंदगी से मोती महेबुबा है खूदासे , मिलाती है सही। -મોહનભાઈ આનંદ
તારી નિગાહો માં છું, કાફી છે. જો કેફિયત દાવા ભરી સાકી છે. સીધી સમજ ક્યાં જો પડે મનમાં, દ્રષ્ટિ કટાક્ષો , માં'ય વાંકી છે પજવી લઈને , છો ખુશી માણો, દિલ થી અમારી , તો'ય માફી છે. આખર જવાનું છે , બધું છોડી, ત્યાગી રહો , વિતરાગ બાકી છે. આનંદ માં જો , હોશ છે કાયમ, જીવન મહીં , રસ રંગ ચાકી છે. -મોહનભાઈ આનંદ
ભૂલ્યા ત્યાંથી ફેર ગણતા પછતાઈ ને, જીંદગી ને ત્યાં પછી ફરી માંડવા ની ; હેસિયત છે ,હોશિયારી સમજદારી, મનની ગુલામી ,હિંમત કરે જાણવાની; -મોહનભાઈ આનંદ
અલ્લાહ એક છે અને ઈશ્વર જો એક છે, સાચી જ વાત સૃષ્ટિ , મહીં જો અનેક છે, દ્રશ્યો મહીં જરાક , તું દ્રષ્ટિ કરીને જો, નામો મહીં જ રૂપ, ગુણો ત્યાં જ છેક છે. ખોઈને જાત પાતમાં,માનવ જો ક્યાં ગયો,? જીવો મહીં સદાય , જો ચેતન પ્રત્યેક છે. તું ધર્મથી વિમુખ , થઈ જો કેવો ખેલ છે. જોડી જરાક જાતમાં , ઈમાન નેક છે. બુદ્ધિથી તોલમાં, પણ જોખીને જોઇ લો, આનંદ રૂપ જો , તું ય મન કોરો ચેક છે. -મોહનભાઈ આનંદ
શબ્દો ને, જો જાણે, એ સ્વયંને,જો માણે. શબ્દોની , અનુભૂતિમાં મૌન મહીં,એ પિછાણે; કાર્યો હોય છે , કારણ, ભાવે નિષ્કામી આણે. આદત છે, બહિર્મુખ, મન અંતર્મુખ , નાણે. સ્થિત પ્રજ્ઞતા ,માંહી, જો આનંદ , વખાણે, ============= -મોહનભાઈ આનંદ
તવ ચરણે માં, હું છું શરણે, શબ્દો નિર્મળ , અંત;કરણે; વાકપટૂ છે , વ્હાલો, હરદમ, ગાળે પાણી , સત્તર ગળણે. ખેલ્યો ખેલ જરા , મન મૌજી, માયિક આશા હાથ છે લમણે. ઈચ્છા ઘોડીને ,લગામ જ્યાં, હદમાં બાંધી , હસ્તિ પરણે; આનંદ સહજ મનમિત ભીતર, રખડે મન ત્યાં , મનોરથ રમણે. -મોહનભાઈ આનંદ
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2021, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser