The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
53
88.6k
339k
I am an IT professional, passionate about literature and language, have tried to write Poems and stories and articles, hoping to get the love and respect from reader community on Matrubharti
બધું જેમ છે એમ ચાલ્યા કરશે બીજા નહીં આપણે બદલવું પડશે.
હું મસ્ત મોહનથાળ જેવો તું ચીક્કી જેવી કડક પ્રિયે🙂 #તુંઅનેહું #હુંઅનેતું
હોળી એટલે રંગોથી દૂર કરતું 1. રંગભેદ 2. જાતિભેદ 3.ધર્મભેદ 4.મૂડીભેદ 5.જ્ઞાનભેદ 6.લિંગભેદ 7. પદભેદ 8. ઉમરભેદ 9.સ્થાનભેદ 10.મતભેદ તમે કયા ભેદ દૂર કર્યા આજે?
Well here are my thoughts on education system. 1. Reduce syllabus of teaching. Just create pointers so the student can learn on their own. The Internet is full of knowledge which is above and beyond books. 2. Let the studies be practical by 100% from 8th standard itself. So students no longer spend boring time in theory class. 3. Add more subjects of sports and arts from 5th standard itself, so students can pick their desired sports post 8th standard or pick their arts post 8th standard
અમદાવાદ છે નામ મારું ધમધમતા રહેવું કામ મારું મીલો જોઈ ભૂંગળા જોયા કામ આપવું કામ છે મારું અમદાવાદ છે નામ મારું છે ચટાકા જીબના અહીં ખવડાવીને તને મસ્ત રાખું ચાની કીટલી છે ખૂણે ખૂણે વાત વાતમાં હું ધંધો આપું અમદાવાદ છે નામ મારું. છેક આવે દૂર દૂરથી અહીં ભુજીયા ખાવા દોસ્ત આપું રાજસ્થાન મળે ને મળે યુપી જોવું હોય અહીં ભારત આપું અમદાવાદ છે નામ મારું. છે લોકોને દોડાદોડી દર રસ્તે હમણાજ સિગ્નલ તોડી નાંખું બસો એસ્ટી બીઆરટીએસ બધું છતાં એસયુવી માં એકલતા આપું અમદાવાદ છે નામ મારું. નથી કર્ણાવતી નથી આશાવલ હું કોણ શું કહે તને ઓળખ આપું સુખથી જીવતા પરિવાર છે અહીં હું નહીં કદી માણસમાં ભેદ રાખું અમદાવાદ છે નામ મારું. - મહેન્દ્ર શર્મા ૨૬.૦૨.૨૦૨૩
શું નથી જોઈતું એ નક્કી કરતા જઈએ અને જીવનમાંથી કાઢતા જઈએ, એટલે અહીં જોઈએ છે એ માટે પસંદગી સરળ થઈ જશે.
શું બદલી શકાય જીવનમાં ૧. પછી કરું ૨. આજે કરું ૩. સાંજે કરું ઉપરના વિધાનને આ રીતે લખવું કે કહેવું "હું આ કામ આ તારીખે આ સમયે કરીશ." દા. ત: હું આજે બપોરે ૧૨ વાગે શાક લઈને આવીશ🙂 આવું કરવાથી અને કહેવાથી કામ, વિચાર અને સંવાદની સ્પષ્ટતા વધે અને બબાલ ટડે. -Mahendra Sharma
આપણને બુદ્ધિશાળી પુરવાર કરે એવા પ્રસંગો ઓછા અને મૂર્ખ પુરવાર કરે એવા પ્રસંગો વધુ બને ત્યારે સમજવું કે... હજી ઘણું શીખવાનું બાકી છે🙂 તમને શું લાગે છે?
મન ચંચળ છે, એને ડર લાગે છે વીરેન્દ્ર સેહવાગ કે જેમને પરિચયની તો કોઈ જરૂર નથી પણ ટુંકમાં એટલું જાણો કે ભારત તરફથી ટેસ્ટ ક્રિકેટમાં બે વખત ૩૦૦+ અને ૩ વખત ૨૫૦+ રન મારનાર સૌથી સફળ ક્રિકેટર કહેવાય છે. એમને એક ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું કે જ્યારે શોએબ અખ્તર કે જે તે સમયના સૌથી ઝડપી બોલર હતાં, એમને બોલિંગ નાંખે ત્યારે એમના મનમાં શું ચાલતું? ત્યારે વીરેન્દ્ર સેહવાગનો જવાબ ખુબજ રસપ્રદ હતો. એમને કહેલું મારા મનમાં બીક તો લાગે જ, કે આ બોલર મારા શરીર પર ક્યાંક બોલ મારીને મારા કેરિયરને ખતરામાં મુકી શકે, પણ મારી બીકને મેં મારા મગજ અને મારી હિંમત પર હાવી થવા દીધા નથી. હું હમેંશા બેટિંગ વખતે કોક હિન્દી ગીત મનમાં ગાતો રહું અને કોક દિવસ એ ગીત મોઢે પણ આવી જાય. એ મને મારી બીકથી દૂર રાખે છે. બોલો છે ને મજાની વાત. એક ખેલાડી કે જેણે દુનિયાના ઝડપી કે મધ્યમ બધા બોલરને બાઉન્ડરી પાર પહોંચાડ્યા હોય એણે પણ સ્વીકાર્યું છે કે બીક તો લાગે પણ એ બીકને તમારી કમજોરી નથી બનવા દેવી. મન ચંચળ છે, એ આવી દરેક વસ્તુ કે વિષયથી પ્રભાવિત થાય છે જે જીવનમાં અતિ મહત્વપૂર્ણ હોય છે. જેમ કે પ્રેમ, બીક, વાસના, લોભ, મોહ અને ઘણું બધું. એક વિવેકી અને જાતને ઓળખનાર વ્યક્તિને ખબર છે કે આ બધું એનું મન ક્યારે કરશે અને ક્યારે મનને તમે મનાવી શકો. વીરેન્દ્ર સેહવાગને ખબર હતી કે બીક લાગશે, પણ એને એ પણ ખબર હતી કે વિશ્વમાં એના નામથી બોલરને બીક લાગે છે. તો એણે પોતાની બીકને ઉલ્લુ બનાવીને એને પોતે હિન્દી ગીતમાં વ્યસ્ત રાખ્યા અને પોતાના અનુભવ અને હિંમતનો ઉપયોગ કરીને સામે બોલરને બીકમાં નાંખી દીધા. છે ને મજાની વાત? મન ચંચળ છે, પણ મગજને આપણી કાબેલિયત ખબર છે, આપણું અનુભવ અને હિંમત મગજને ખબર છે, મનનો ઉપયોગ લાગણી કે સંબંધોમાં કરાય પણ જ્યાં આપણે ખરેખર વ્યવસાયિક કાબેલિયત દેખાડવી છે ત્યાં મનને બીજે અટકાવી મગજ અને હિંમતનો ઉપયોગ કરવાથી લાભ થશે. તમે મનને ઉલ્લુ બનાવો છો? કેવી રીતે? મહેન્દ્ર શર્મા ૮.૧.૨૦૨૩
આસ્થા અને લોજીકને ૩૬નો આંકડો છે . ખુબજ ભણીગણીને જ્ઞાની થઈને માણસ આસ્થાના સ્થાને લોજિકને રાખવા ઈચ્છે છે. હવે લોજીકની ભાષામાં કહું તો પાવર ઓફ સબકોનશિયસ માઈન્ડ પુસ્તકમાં લખ્યું છે એમ સતત એ બાબતે વિચારતા અને રટણ કરતાં રહેવું જોઈએ કે જે આપણને જોઈએ છે. અને એ વિચાર કરતાં રહીએ તો આપણું મન વાણી વચન એ બાબત પ્રમાણે આપણી દિનચર્યા ગોઠવશે અને એક દિવસ આપણે એ બાબતને પ્રાપ્ત કરીશું. એક પ્રખ્યાત અંગ્રેજી પુસ્તક દ સિક્રેટ માં પણ એ સિક્રેટ કહે છે જે શાહરૂખ ખાન ઓમ શાંતિ ઓમ ફિલ્મમાં કહે છે કે તમને કોઈ વસ્તુ કે વ્યક્તિ જોઈએ તો એવી રીતે એનું સ્મરણ રટણ કરો કે આખી દુનિયા તમને એ મેળવવા કે મળવા મદદ કરે. આ એક સતત સ્મરણની એક્સરસાઇઝ છે, અને સિક્રેટ પુસ્તકના લેખકનું કહેવું છે કે આ ફોર્મ્યુલા કામ કરે છે. અહીં આસ્થા કરતા વિચારોના ચુંબકીય અસરની વાત છે. જ્યારે આસ્થાની દૃષ્ટિએ આપણને જે જોઈએ એ ઈશ્વરથી માંગીએ, સતત માંગતા રહીએ અને કોક દિવસ ઈશ્વર આપણને આપી દેશે, આ બાબતે આસ્થા પ્રિય વ્યક્તિ દૃઢ વિશ્વાસ ધરાવે છે કે ઈશ્વર એની સાંભળશે. એટલે વાત એકજ છે પણ જે વાતો આપણાં પુરાણ અને વેદોમાં છે, એ વાંચનારને ઓલ્ડ ફેશન લાગે છે જ્યારે અંગ્રેજી પુસ્તક વાંચીને અઘરી બાબતોનું દૃષ્ટાંત વધુ જ્ઞાન દર્શાવી શકાય એવું છે. વિશ્વાસ અને આસ્થા સરળ છે, અહીં વ્યક્તિ નહીં ઈશ્વર પર વિશ્વાસ છે જ્યારે સબકોંશિયસ માઈન્ડ ટ્રેન કરવામાં માનસિક કસરત અને કોંશિયસ એફર્ટ છે. તમે શું કરશો?
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2023, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser