The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
...#.... ચાલો તો કાંટાળા માર્ગે જ ,પણ ચીલો એવો ચિતરવો કે એ માર્ગે બીજો સરળતાથી ચાલ્યો જાય ...#....
...#... સુર સુંદરી...#... મહાદેવની પ્રિય યક્ષિણી, એટલે સુર સુંદરી... સૃષ્ટીકર્તાની સુંદર રચનાની પરાકાષ્ઠા, એટલે સુર સુંદરી... સુરી શક્તિઓનું પ્રતિનિધિત્વ, એટલે સુર સુંદરી... માતા સમ મમતાળ હ્રદયની સામ્રાજ્ઞી, એટલે સુર સુંદરી... ભગિની સમ કરુણામય હ્રદયી, એટલે સુર સુંદરી... શાશ્વત પ્રેમ કરતી પ્રેયસી, એટલે સુર સુંદરી... જનકલ્યાણમાં સંપૂર્ણ સમર્પિત, એટલે સુર સુંદરી... સાધકની મહેચ્છાએ વરતી યક્ષિણી, એટલે સુર સુંદરી...સુર સુંદરી...સુર સુંદરી...
...#... જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ...#... ...#... હિનાજી... ...#...જિજ્ઞાશાજી... સમજણનો જાણે સાયર ભર્યો, સુંદર શણગાર સાદગીનો કર્યો... ઘડી મૂરત, અટક્યો ઘડવૈયો બે ઘડી, બે હાથે લીધાં ઓવારણાં લળી લળી... માતૃભારતી પરીવારનું ખરું કજાર, આપીયે શુભાષિશ દિલથી હજાર... વિશ્વ વનીકાની વિદગ્ધ વિરાંગનાઓ, આપને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ...
...#... યક્ષિણી...#... માતૃભારતી પરીવારને જય ભોળાનાથ... કેમ છો સૌ??? સુખમાં તો છો ને??? ઓહ!!! આવો પરિવાર જેની પાસે હોય, એને વળી શાનું દુ:ખ?? મહાદેવના ભક્તને તો કાયમની મોજ, ને એ ભકતના પરિજનોને પાક્કી મોજ જ હોય હો... આ થયા "બટર મસ્કા "... ઘણા સમયે આ પોસ્ટના વિલંબ બદલ... હા હા... તહેદિલથી ક્ષમાપ્રાર્થી છું કે,"હમણાં આ સંસાર જાળમાં એવો અટવાયો છું કે,સમય જ નથી મળતો..હા... હા.. બસ એમ સમજો કે વેતાળ અત્યારે વિક્રમાદિત્યના ખભે છે,બસ મૌન તૂટવાની પ્રતિક્ષામાં... ચાલો આડી-અવળી મૂકીને આજના વિષય પર આવીયે.... # યક્ષિણી... આ શબ્દ સાંભળતા જ એક અગોચર વિશ્વની કલ્પનાઓનું ઘોડાપૂર આવી જાય. યક્ષિણીઓ વિશે લોકોમાં ઘણી બધી ધારણાઓ છે,જેમકે યક્ષિણી એટલે નકારાત્મક ઉર્જા,કે પછી ભૂત-પ્રેત-પિશાચ-ચૂડેલ જેવું કંઈક... પરંતુ આ બધાથી વિપરીત એવી યક્ષિણીઓ, એ મહાદેવ શિવની અનન્ય ભક્ત છે. ઘણા યક્ષિણીઓને શિવજીની દાસી કહે છે,પરંતુ દાસી ના કહેતા શિવભકત કહેવું વધુ ઉચિત રહેશે. જેમ મહાદેવ સ્વયં જગતકલ્યાણકારી છે,એવીજ રીતે યક્ષિણીઓ પણ પોતાના ઇષ્ટના કાર્યોમાં સહભાગી બની જગતકલ્યાણ કરે છે. એટલે યક્ષિણી એ સકારાત્મક શક્તિ છે. અને એને સિદ્ધ કરનાર સાધક પણ વંદનીય છે,જે એમને સિદ્ધ કરી એમના લોકોમાંથી આહ્વાન કરી પૃથ્વીલોકનું કલ્યાણ કરે છે... તો ચાલો આજે આપણે આ યક્ષિણીઓ વિશે વિસ્તારપૂર્વક સમજીયે... શાસ્ત્રો પ્રમાણે કહું તો આ સમગ્ર બ્રમ્હાંડમાં અનેક જુદા જુદા લોક આવેલા છે. એમાં અપ્સરા લોક,ગાંધર્વ લોક,કિન્નર લોક,એમ જ યક્ષ લોક એ પૃથ્વીલોકની સાવ નજીક આવેલા છે. આથી જ આમની સાધના યોગ્ય સમયે/યોગ્ય સ્થળે અને યોગ્ય વિધિ પૂર્વક કરવામાં આવે તો સાધક અત્યંત શિધ્રતાથી આ શક્તિઓને સિદ્ધ કરી પોતાની દરેક મનોકામના પૂર્ણ કરી શકે છે. આપણે વાત કરીયે યક્ષિણીઓની,તો કુલ ૬૪ પ્રકારની યક્ષિણીઓ છે. એમાં ૮ મુખ્ય છે. કે જેમને સિદ્ધ કરવી અત્યંત સરળ છે. આ આઠ યક્ષિણીઓ કઇ કઇ? તો... ૧) સુર સુંદરી ૨) મનોહારિણી ૩) કનકાવતી ૪) કામેશ્વરી ૫) રતિ પ્રિયા ૬) પદ્મિની ૭) નટી ૮) અનુરાગિણી આ દરેક યક્ષિણી જુદી જુદી શક્તિઓ ધરાવે છે. અને સાધક પણ એમની શક્તિઓના જુદાં જુદાં ફળ પ્રાપ્ત કરે છે. તો ચાલો જાણીયે કઇ યક્ષિણી કયું વરદાન આપે છે,અને કેવી રીતે તથા કયા મંત્ર દ્વારા એને સિદ્ધ કરી શકાય. સૌ પ્રથમ તો.... सर्वासां यक्षिणीना तु ध्यानं कुर्यात् समाहितः । भविनो मातृ पुत्री स्त्री रुपन्तुल्यं यथेप्सितम् ॥ અર્થાત્ કે, દરેક સાધકે પોતાની ઇચ્છા પ્રમાણે યક્ષિણીને બહેન/માતા/પુત્રી અથવા તો પત્ની રૂપે સ્થાપવી,અને અત્યંત સાવધાની પૂર્વક એની સાધના કરવી. नित्यकृत्यं च कृत्वा तु स्थाने निर्जनिके जपेत् ।यावत् प्रत्यक्षतां यान्ति यक्षिण्यो वाञ्छितप्रदाः ॥ અર્થાત્ કે,પોતાના નિત્યક્રમ કર્યા બાદ જ કોઇ નિર્જન સ્થાન પર બેસી જ્યાં સુધી મનવાંછિત ફળ આપનાર યક્ષિણી પ્રકટ ના થાય ત્યાં સુધી નિરંતર મંત્રજાપ કરવા. નિરંતરતા તૂટશે તો સિદ્ધિ પ્રાપ્તિમાં અવરોધ બનશે. અને આ સિદ્ધિ સંપૂર્ણ ગુપ્ત પણે કરવી. કોઇને પણ આના વિશે વાત કે ચર્ચા કરવી નહીં. ૧) સુર સુંદરી યક્ષિણી :- આ યક્ષિણી સાધકને ઐશ્વર્ય / ધન / સંપત્તિ પ્રદાન કરે છે. મંત્ર : ૐ ઐં ર્હ્રીં આગચ્છ સુર સુંદરી સ્વાહા ॥ ૨) મનોહારિણી યક્ષિણી :- આ યક્ષિણી સાધકના વ્યકિતત્વને એવું સંમોહક બનાવી દે છે કે સાધક સમગ્ર સૃષ્ટીને સંમોહિત કરવા સક્ષમ બની જાય છે.મનોહારિણી યક્ષિણીનો ચહેરો ઈંડા આકારનો, નેત્ર હરણને સમાન અને રંગ ગોરો છે. તેના શરીરમાંથી નિરંતર ચંદનની સુગંધ નીકળતી રહે છે. મંત્ર :- ૐ ર્હ્રીં આગચ્છ મનોહારી સ્વાહા ॥ ૩) કનકાવતી યક્ષિણી :- આ યક્ષિણી સાધકને તેજસ્વિતા અને પ્રખરતા આપે છે. આ યક્ષિણી, સાધકની દરેક મનોકામના પૂર્ણ કરે છે. આ યક્ષિણી લાલીબાળા સ્વરૂપે સદાકાળ સાધકની સાથે જ રહે છે. મંત્ર :- ૐ ર્હ્રીં હૂં રક્ષ કર્મણિઆગચ્છ કનકાવતી સ્વાહા ॥ ૪) કામેશ્વરી યક્ષિણી :- આ યક્ષિણી સાધકને પૌરુષ પ્રદાન કરે છે. સાધકને જયારે પણ કોઈ ચીઝની આવશ્યકતા હોય છે તો તે તત્ક્ષણ ઉપલબ્ધ કરાવવામાં સહાયક બને છે. આ યક્ષિણી સદૈવ ચંચલ રહેનારી માનવામાં આવી છે. મંત્ર :- ૐ ર્ક્રીં કામેશ્વરી વશ્યપ્રિયાય ક્રી ૐ ॥ ૫) રતિપ્રિયા યક્ષિણી :- આ યક્ષિણીને પરમાનંદ પ્રદાન કરનારી માનવામાં આવી છે. રતિપ્રિયા યક્ષિણી સાધકને દરેક ક્ષણ આનંદિત રાખે છે. મંત્ર :- ૐ ર્હ્રીં આગચ્છ આગચ્છ આગચ્છ રતિપ્રિયા સ્વાહા ॥ ૬) પદ્મિની યક્ષિણી :- આ યક્ષિણી સાધકને આત્મવિશ્વાસથી ભરપૂર અને સ્થિરતા પ્રદાન કરે છે. મંત્ર :- ૐ ર્હ્રીં આગચ્છ આગચ્છ પદ્મીની સ્વાહા ॥ ૭) નટી યક્ષિણી :- આ યક્ષિણી સાધકની પૂર્ણ રૂપથી સુરક્ષા કરે છે. કોઈપણ વિપરીત પરિસ્થિતિઓમાં સાધકને સરળતાપૂર્વક નિષ્કલંક બચાવે છે. મંત્ર :- ૐ ર્હ્રીં આગચ્છ આગચ્છ નટી સ્વાહા ॥ ૮) અનુરાગિણી યક્ષિણી :- આ શુભવર્ણા યક્ષિણી સાધને યશ,કિર્તિમાન પ્રદાન કરે છે. મંત્ર :- ૐ ર્હ્રીં અનુરાગિણી આગચ્છ સ્વાહા ॥ ખાસ :- આ બધી દૈવી શક્તિઓ સાધકની પરિક્ષા માટે વચનમાં બંધાવાનું કહે છે, એ વખતે સાધકે કોઇપણ જાતના પ્રલોભનમાં ન આવવું,અને કોઇ વચન કે શરત માન્ય ના કરવી. ભલે એ જતા રહેવાનું કહે તો પણ... યક્ષિણીને જવા દેવી પરંતુ વચનબદ્ધ ના બનવું. આ હતી યક્ષિણીઓ વિશે જરીક જેટલી જાણકારી... # બાકી એક વાત કહું તો મારી પાસે આ આઠેય યક્ષિણીઓને સિદ્ધ કરવાનો એક મહામંત્ર છે. જે ૧૦૧% કારગર પણ છે. એ છે, "નિતિમત્તે જાત મહેનત જિંદાબાદ..." આ મંત્ર અષ્ટ સિદ્ધિ નવ નિધિ દાતા છે. ધન /સુખ/ સંપત્તિ /માન/ઐશ્વર્ય બધું જ આપે છે...અને એય ને નિરાંતે પોતાના ઇષ્ટની નજીક પણ રાખે છે. જય ભોળાનાથ... હર હર મહાદેવ....... હર.....
આફત તારી એક એક અદા, કાતિલ તારી કામણગારી કાયા... બેશક તૂં છે મૂરત સુંદરતાની, પણ... વાત કંઇક ઓર જ છે મારી "અનોખીપ્રિત"ની...
...#....જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ,"નિધિજી"... આઝાદ પંખી સમી મુક્ત વિહરતી, "કલમ તો નન્હી" પણ ઉન્મત્ત ઐરાવતી... રચનાઓ જાણે ગુલાબ, ગુલશન-એ-મધુમતી, મધૂર કંઠ જાણે શારદા વિણા-વાદન કરતી... ઊંડા સાગર સમી,છો ને કેટલાય ભેદ સંઘરતી, ચાડી ખાતી,અધ-છલકી એ આંખો શરબતી... ભરી દે આપનું દામન ખુશીઓથી,શિવ-પાર્વતી, છે શુભકામનાઓ જન્મદિવસની "કમલ"વત્તી...
...#... સુખ - દુ:ખની વાતો...#... સૌને જય ભોળાનાથ મિત્રો... કેમ છો બધાં?? સુખમાં તો છો ને??? સુખ...એટલે વળી શું?? જાણો છો?? લે... હ... હું પણ સાવ ડફર છું, નહી?? સુખ - દુ:ખ તો સૌ કોઇ જાણે... એમાં પૂછવાનું શું હોય?? કાં?? ચાલો હવે આ ડફરે,ડફર જેવો પ્રશ્ન પૂછી જ લીધો છે,તો આ ડફરનો સુખ -દુ:ખ તરફનો દ્રષ્ટિકોણ પણ જાણી લઇયે... જરીક... # તમારા માટે સુખની વ્યાખ્યા શું? ટૂંકમાં કહું તો મનનો રાજીપો એટલે સુખ. ભાવતી કેડબરી ખાવાથી મન થોડી વાર રાજી રહે, એ છે સુખ. જેમ દુઃખ એ મનની નેગેટિવ પ્રતિક્રિયા છે, એમ સુખ એ મનની પોઝિટિવ પ્રતિક્રિયા છે. સુખ-દુઃખનો ખેલ મનમાં સતત ચાલ્યા કરે. ભલે ચાલે.આપણે એનાથી કંઈ લેવાદેવા નઇ... હા હા... # સુખ માટે આધારીતતા કેટલી યોગ્ય? અથવા શું આપણું સુખ બીજા પર આધારિત હોવું જોઈએ ખરું? સુખનો મામલો એકરીતે ગમા-અણગમાનો મામલો છે. આ ગમા-અણગમા આમ તો આપણા પોતાના જ હોય છે, પરંતુ એ આપણા હાથમાં નથી હોતા. "મને કારેલા નહીં ભાવે, અને આઈસક્રીમ ભાવશે" એ આપણે જાતે નક્કી નથી કરતા. "મને એક માણસ સાથે વધુ ફાવશે અને બીજા માણસ સાથે ઓછું ફાવશે" એ આપણે જાતે નક્કી નથી કરતા. એ બધું આપણી પ્રકૃતિ પર, કે આપણી માનસિક-શારીરિક-હાર્દિક બાંધા પર આધારિત છે. મતલબ કે બીજા લોકો કે બાહ્ય ચીજો પરની આધારિતતા તો પછી આવે છે, પહેલી વાત તો એ છે કે,"આપણા પોતાના જ બંધારણ પર સુખનો કે દુઃખનો આધાર રહેલો છે." જે આપણને ગમે છે એ બધું આપણને સુખ આપે છે,અને જે નથી ગમતું એ આપણને દુઃખ આપે છે. આવી આધારિતતા તો રહેવાની જ. # કઈ બાબતો કે ઘટના ઘટે ત્યારે મન વ્યથિત થાય? આવી તો હજારો બાબતો છે. અસહ્ય ગરમી પડી રહી હોય, ભયંકર જોરથી સ્પીકર પર મ્યૂઝિક વાગી રહ્યું હોય, કોઈ માણસ જડતાપૂર્વક પોતાના અભિપ્રાયો મારા પર થોપવા મથે... પ્રેમમાં કોઇ કારણસર છૂટા પડવાનું થાય... આવી અસંખ્ય બાબતોથી મનનો મૂડ બગડે. ટૂંકમાં, આપણા અણગમાને છંછેડે એવી તમામ બાબતોથી મન આકુળવ્યાકુળ થાય. # આસપાસના માણસો અથવા સંબંધોથી કંટાળીને ક્યાંક ભાગી જવાનું મન થયું છે ક્યારેય? રોજ થાય, અનેક વાર થાય. તમે ન ગમતી સ્થિતિમાં મૂકાઓ ત્યારે મન છટપટાય અને પેલા "કરન-અર્જુન" ફિલ્મના ડાયલોગ-"ભાગ અર્જુન ભાગ"- ની જેમ તમારા મનમાં પણ રેકોર્ડ વાગવા લાગેઃ ભાગ ફલાણા ભાગ, ભાગ ઢિંકણા ભાગ... હા હા હા આમાં એવું છે કે મનની મુખ્યત્વે બે જ ગતિ હોય છે, "દુઃખથી દૂર અને સુખની તરફ." અહીં સવાલ એ છે કે ક્યારે દુઃખથી દૂર ભાગવાને બદલે દુઃખની સામે અડીખમ ઊભા રહેવું,અને ક્યારે સુખ તરફ દોડવાને બદલે સંયમી બનીને સ્થિર રહેવું. સાધારણ ઉદાહરણ આપું તો, નોકરી-ધંધા-ઘરસંસારની જફા છોડીને બાવા બની જવાની ઇચ્છા ઘણા પુરુષોને ક્યારેક ક્યારેક થતી હોય છે, પરંતુ એવું ન ચાલે. જવાબદારી જેવી પણ કોઈ ચીજ છે. એ જ રીતે, રસ્તે જતી કોઈ સ્ત્રી બહુ સુંદર લાગે ત્યારે દિલ તો કહેશે, ચાલ, એની પાછળ પાછળ જઈએ. પણ એમ કંઈ મન ફાવે તેનો પીછો ન કરી શકાય. એ સારું પણ ન લાગે અને એમાં કાયદાના ભંગ બદલ જેલમાં જવાની નોબત પણ આવે. આ બધું સમજવા માટે સામાન્ય બુદ્ધિ જોઈએ, જે આમ તો કુદરતે આપણને મોટે ભાગે આપેલી જ હોય છે, પરંતુ એનો વપરાશ કરવાનું ઝટ સૂઝતું નથી, કારણ કે તમન્નાઓ આપણા પર હાવી થઈ જાય છે. શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એ વિશે સામાન્ય બુદ્ધિના આદેશ આવતાં જ રહે છે, પણ સુખની પાછળ અને દુઃખથી દૂર જવાની આપણી તીવ્ર તમન્નાઓ આપણને બહેકાવી દે છે. પેલો એક શેર છે ને કે, "તમન્નાઓં કે બહલાવે મેં અક્સર આ હી જાતે હૈ કભી હમ ચોટ ખાતે હૈ, કભી હમ મુસ્કુરાતે હૈ." # જીવનમાં તમને આનંદ કઈ બાબતોમાંથી મળે? સુખ અને આનંદને જુદાં રાખીએ. પ્રેક્ટિકલી તો આનંદનો અર્થ પણ સુખ જેવો જ થતો હોય છે, પરંતુ આ મામલે હું કડક ભિન્નતા રાખું છું. "સુખ એટલે મનનો રાજીપો, જ્યારે આનંદ એટલે મનની ગેરહાજરી." સુખ એ કોઈ વસ્તુ કે સ્થિતિ કે ક્રિયાને અપાયેલી પ્રતિક્રિયા છે, જ્યારે આનંદ એટલે મનની નિષ્ક્રિયતા, મનનું મૌન. સુખ માટે કોઇપણ એક કારણ જોઈએ, જ્યારે આનંદ તો હું કશું કર્યા વિના ખુરશી પર બેઠાં બેઠાં પણ અનુભવી શકું. બસ, મન મૂંગું થવું જોઈએ, મારું સમગ્ર અસ્તિત્વ વર્તમાનની પળમાં ઓતપ્રોત થવું જોઈએ. આવો આનંદ સપનાં વિનાની ઊંડી ઊંઘમાં પણ મળે, જ્યાં આનંદ અનુભવનારની એટલે કે વ્યક્તિની એટલે કે ‘હું’ની હાજરી નથી હોતી. આનંદ એટલે સ્વયંના હોવાના અસ્તિત્વની ખુશી. આનંદ વિના જીવન અટકી પડે. # દુઃખી થાઓ ત્યારે દુ:ખમાંથી બહાર આવવા તમે શું કરો? લાલટેન(ચિમની) જોઇ છે ક્યારેય? ચાલો દિવો જ જોઇ લો... દીવાની છટપટાહટને જુઓ, તમન્નાઓ અને સામાન્ય બુદ્ધિ વચ્ચેની કુસ્તી જુઓ. જીવનનો ખેલ સામાન્યતઃ, રિંગમાં ચાલી રહેલી કુસ્તી જેવો કે, રંગમંચ પર ચાલી રહેલા નાટક જેવો છે. એમાં પ્રેક્ષક અસલી "હું" છે, જ્યારે કુસ્તીબાજો કે અભિનેતાઓ નકલી "હું" છે. એ અનેક હોય છે. દિવા અનેક છે. એ પુત્ર-પતિ-ભાઈ-મિત્ર-પ્રેમી વગેરે અનેક ભૂમિકામાં હોય છે. એ દિવસમાં સો વાર બદલાતો રહે. એ ઘડીકમાં ખુશ તો ઘડીકમાં ઉદાસ પણ હોઈ શકે. દુઃખની કોઈ સ્થિતિ આવી પડે ત્યારે દીવો રઘવાયો થાય, ‘ભાગ અર્જુન ભાગ’ કહીને છટકવા મથે... તો, તમારા સ્પષ્ટ સવાલનો સ્પષ્ટ જવાબ આપું તો, દુઃખની સ્થિતિમાં દીવા વિરુદ્ધ દીવાની ધમાચકડી જુઓ. અંદરખાને આપણો મ્હાયલો તો જાણતો જ હોય છે કે આ બધો ઘડી, બે ઘડીનો ખેલ છે. થોડી વાર પછી દૃશ્ય આપોઆપ બદલાવાનું જ છે. # આખી વાતનો સાર... એ જ કે જીવનમાં કરવા જેવું સૌથી મહત્ત્વનું કામ અસલી "હું"ને એટલે કે સાક્ષીને ઓળખવાનું છે. આપણી અંદરનું અસલી ‘તત્વ’ નામ અને રૂપ વગરનું હોવાથી એને માનસિક રીતે નથી ઓળખી કે સમજી શકાતું. એને ફક્ત અનુભવી શકાય છે. એને અનુભવવું, એ જ એકમાત્ર અસલી પુરુષાર્થ છે. આપણે લોકો જેને ‘પ્રારબ્ધ વિરુદ્ધ પુરુષાર્થ’નો વિવાદ કહીએ છીએ,એને પશ્ચિમવાળા ‘ડેસ્ટિની વર્સીસ ફ્રી વિલ’નો મામલો ગણાવે છે. એમાં મૂળ પ્રશ્ન એ જ છે કે તમે શું કરી શકો? હું શું કરી શકું? આ સવાલનો સાચો જવાબ તો એક જ છેઃ "કશું જ નહીં." આપણે જેવા હોઈશું, એવી જ રીતે વર્તીશું. આપણે પ્રકૃતિ દ્વારા સંચાલિત એવું શરીર-મનનું એક વિશિષ્ટ યંત્ર છીએ. આમાં ઝાઝી ખાંડ ખાવા જેવી પણ નથી,અને બહુ દુઃખ અનુભવવા જેવું પણ નથી. આગળ મેં કહ્યું એમ, આપણા ગમા-અણગમા જેમ આપણા હાથની વાત નથી, એમ આપણી ક્ષમતાઓ અને નબળાઈઓ પણ આપણા હાથની વાત નથી. આપણે કેટલા પુરુષાર્થી હોઈશું એ પણ પ્રારબ્ધનો મામલો છે. કોઈ બહુ મહેનતુ હોય, કોઈ બહુ આળસુ હોય. ઠીક છે. હોય તો હોય. એમાં ઝાઝું કશું ન થઈ શકે. તો શું પુરુષાર્થ જેવું, ફ્રી વિલ જેવું કશું છે જ નહીં? ના, છે... પુરુષાર્થનું, મહેનતનું, ફ્રી વિલનું, મુક્ત ઇચ્છાશક્તિનું માહાત્મ્ય છે જ. "જીવનમાં આનંદિત રહેવું હોય-સુખી નહીં હો, આનંદિત રહેવું હોય", તો મનની ગુલામીમાંથી છૂટીને ‘સ્વરાજ’ મેળવવાનો પુરુષાર્થ કરવો જ રહ્યો."સ્વરાજ એ આપણા મનનું રાજ્ય છે." માણસનું સાચું સ્વરાજ એ છે કે એ મનની ગુલામીમાંથી છૂટે. માણસને અસલી બોસ કોણ છે એની ખબર હોવી જોઈએ. અસલમાં બોસ શરીર પણ નથી અને મન પણ નથી. "જીવ... જીવ છે અસલ બોસ." આ જાણવાનો પુરુષાર્થ કરવો એ જ મનુષ્યજીવનનો સાર છે, નિયતી છે, મોકો છે. આ જ સાચા સુખની એટલે કે આનંદની ચાવી છે. બાકી તો મોજ વિશે ગુજરાતીઓને શું સમજાવવું મારે? પેલું ગીત છે ને... "જલ્સા કર બાબુ જલ્સા કર... જાય બધાં...જલ્સા કર..." તો બસ , મારી જેમ હંમેશા મહાદેવની મસ્તીમાં મસ્ત રહો...મોજમાં રહો... દુઃખ ની મજાલ છે કે તમારી નજીક પણ ફરુકે... જય ભોળાનાથ...હર હર મહાદેવ...હર...
ચાલ... એકમેકમાં એક એહસાસ જીવી લઇએ, એક એક પળમાં સો જનમ જીવી લઇએ... દિલના અરમાનોને સતરંગી કરી લઇએ, કોરા ફલકમાં "અનોખીપ્રિત"ના અનૂઠા રંગ ભરી લઇએ...
કોહને કાંગરે કિલ્લોલ કરી ગઇ, સરોજ'ના સૂરોમાં સરગમ ભરી ગઇ... કૌમુદી કાતીલ ઇક્ષણી, હૈયું વિંધી ગઇ, ઓળખ પૂછતાં "અનોખીપ્રિત" કહી ગઇ...
વિશ્રમ્ભ વાત વંઠી,વંટોળે ચઢી, ચતુર ચંદ્રાગદે ચિત્તચોર લીલા કરી... "અનોખીપ્રિત" બેઠી'તી જે શમણે ચઢી, ગયણમાં ગૂંજી આજે જાણે રૂબરૂ મળી...
એક નવી સફર ની શરૂઆત... કોણ કોણ આવશો મારી સાથ???
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2021, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser