The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
@divyamodh
15
21.3k
61.1k
book reviewer.hindi, gujrati book review.msg for paid review. insta divyamodh96
પ્રેમ હોય એની સાથે લગ્ન થાય એ જરૂરી થોડી છે? પાછલા કેટલાક દિવસથી એક વાક્ય રીપીટ મોડ પર સાંભળવા મળી રહ્યું છે "પ્રેમ કરીએ તેની સાથે લગ્ન થાય જ એવું જરૂરી થોડી છે?"આ એક વાક્ય પાછલા કેટલાક દિવસથી સતત સોશિયલ મીડિયા પર સાંભળવા મળી રહ્યું છે.આને ત્યાગ કહેવો કે છટકબારી એ મને નથી સમજાતું.આજના મોટાભાગના લોકો,આ પરિસ્થતિ માંથી પસાર થઈ ગયા હશે એટલે એ તમામ લોકો આ વાક્ય સાથે સહમત હશે જ કે પ્રેમ લાગણી છે અહેસાસ છે તેના માટે સાથે રહેવું કે લગ્ન કરવા એ જરૂરી નથી જ.તમે જેને પ્રેમ કરતા હોય એની સાથે લગ્ન ન થવાથી બંનેનો પ્રેમ સાચો ન હતો એવું સાબિત નથી થતું.બંનેના મનમાં એકબીજા માટેનો પ્રેમ હમેશા અકબંધ જ રહેવાનો કારણ કે એ લાગણી છે અને લાગણી ક્યારેય મરતી નથી એ મીઠી કે કડવી યાદ બનીને હમેશા સાથે રહેતી હોય છે. આ વાત એક રીતે સાચી પણ છે.પરિસ્થતિ પર કોઈનું જોર ના ચાલે લગ્ન કરવાની ઈચ્છા હોય પરંતુ મોડર્ન યુગમાં પૈસા,ધર્મ, સમાજ બધા આગળ હાર મળે અને લગ્ન ન કરી શકાય તો એનો મતલબ એવો નથી કે પ્રેમ નહોતો. પણ આ વાક્ય આજકાલ જેટલી સરળતાથી બોલાય રહ્યું છે એ જોતા આ વાક્યમાં ત્યાગ ઓછો અને છટકબારી જેવો ભાવ વધુ હોય એવું માને લાગી રહ્યું છે.સંબંધ શરૂ થતા પહેલા જ મનમાં એક વાત નક્કી કરીને રાખવામાં આવે કે લગ્ન ન થાય તો પણ વાંધો નહિ.શું આ ખોટું ન કહેવાય?દરેક વ્યક્તિને ખબર જ હોય કે પરિવાર એટલી સરળતાથી એકવારમાં નહિ જ માને એ સ્થતિમાં માત્ર એક બે પ્રયત્નો પછી હાર માની લેવી એ ખોટું નથી? આજકાલ આ વાક્ય ખોટી રીતે પણ વપરાય સામેવાળી વ્યક્તિ નો ઈરાદો જ ન હોય લગ્ન કરવાનો એ છોકરી હોય કે છોકરો ઘરે વાત કર્યા વિના જ એમ કહી દે કે પરિવાર નહિ માને એવું પણ બને.લગ્ન થવા ન થવા એ પછીની વાત છે પરંતુ કોઈ કારણ વિના કે ગમતા વ્યક્તિ માટે લડ્યા વિના જ એવું કહેવું કે પ્રેમ કરતા હોય એની સાથે લગ્ન થાય જ એવું જરૂરી નથી આ શું ખોટું નથી? શ્રીકૃષ્ણ અને રાધાનું ઉદહરણ આપી વાક્યની સત્યતા સાબિત કરવા પ્રયત્ન ન કરવો.અહી સામાન્ય લોકો આજકાલ જે રીતે આ વાક્યનો ઉપયોગ કરી રહ્યા છે એ અંગે વાત છે ભગવાન અંગે નહિ. -divyamodh
#hindi #bookreview #horror किताब: मुर्दाघर लेखक: साबिर खान पब्लिकेशन:शोपिजियन कीमत:२२१₹ मुर्दाघर लेखक साबिर खान द्वारा लिखी एक किताब मुर्दाघर सस्पेंस और हॉरर से भरपूर कहानी बयाँ करती है।किताब के नाम को देखकर अनुमान लगाया जा सकता है की किताब की कहानी किसी मुर्दाघर यानी कि स्मशान के आसपास बुनी गई होगी।। लेकिन यही लेखक का खेल है किताब की कहानी मुर्दाघर के आसपास बुनी तो है लेकिन यहाँ मुर्दाघर कोई स्मशान नही बल्की मुर्दाघर नामक एक किताब है । बीरबल नामक एक लेखक जो अपनी हॉरर कहानियों के लिए मशहूर था। उसे अपने रीडर्स को किसी नये तरीके से कहानी कहने के लिए एक असली प्रेतात्मा से अपनी किताब लिखवाने का विचार आया। जिस के बाद अपनी प्रेमिका लावण्या की मदद से वो एक ऐसे तांत्रिक से मिलता है जो पहले एक किसान होता है लेकिन जीवन में घटी दुःखद घटना के कारण वह तांत्रिक बन जाता है। बावला नामक इस तांत्रिक के घर से शुरू होती है एक खौफनाक, रहस्यमय कहानी। एक बिना सिर और सीने पे बड़ी सी आंख वाला बेहद डरावना खबीस जो इस किताब का सूत्रधार बनता है और शुरू करता है एक खूनी खेल। अब वो खबीस कौन है? और बावला किसान से तांत्रिक क्यों बना? वह जानने के लिए और खूनी खेल का रहस्य समझने व उसका मजा लेने के लिए तो आपको किताब पढ़नी होगी। कहानी का वर्णन इतने अच्छे से किया गया है की कहीं भी सिकवन्स से हटता हुआ नही लगेगा।चाहे वो बावला के घर के कमरे में छोटे बच्चो के कटे हुए शरीर हो या कोई और घटना।किताब के हर नए चेप्टर में एक नई कहानी है। खबीस का नया मोहरा है ,और एक नया किरदार है। इस के अलावा कहानी में किरदार के नाम बेहद रोचक है जैसे की मुमकिन , जो की कहानी में इंस्पेक्टर की बीवी का नाम है।ऐसा शायद ही कोई सोच सकता है। बीरबल जिस नाम को लोग बुद्धिमता के तौर पर देखते है, उसको कहानी में एक ऐसा लेखक बताया जिसके पागलपन की वजह से कई लोगो की जान गई और तो और उसका जीवन भी खतरे में आ गया। किताब मे नापसंद करने जैसा कुछ भी नही है। बस कहानी के अंत को लेखक ने ऐसा मोड दिया है जैसे लगता है लेखक अभी इस पर एक और किताब लिखना चाहते हो। कहानी मुझे बेहद पसंद आई। आपको भी जरुर पसंद आयेगी। तो आज ही आर्डर करे शोपिजन प्लेटफार्म से। -divyamodh96(diya's poetry)
#bookreview #gujrati પુસ્તકનું નામ:"નાનકડી વાતો જીવનની." લેખક:મીના એચ.શાહ કિંમત:૧૬૫ રૂપિયા. સમય સાથે માણસ બદલાય છે યુવાનીથી વૃદ્ધત્વ તરફ જાય છે અને આ ગાળા દરમિયાન માત્ર તેની ઉંમરમાં કે જવાબદારીઓમાં જ નહિ પણ લાગણીઓમાં પણ ઘણા બદલાવ આવતા હોય છે.આ એક સત્ય છે. પરંતુ બીજુ સત્ય એ પણ છે કે ઉંમરના કોઈપણ પડાવે એક લાગણી જે સનાતન રહેતી હોય છે એ છે પ્રેમ અને વહાલ મેળવવાની. ઉંમરના અલગ અલગ પડાવ પર કદાચ તેને જોવાની કે મેળવવાની રીત જુદી જુદી હોય પરંતુ દરેક પડાવ પર પ્રેમ,વહાલ હૂંફની ઝંખના દરેક વ્યક્તિને રહેતી હોય છે આ સત્યને સાબિત કરતું અથવા કહી શકાય કે સમજ આપતું પુસ્તક એટલે મીના એચ.શાહ દ્વારા લખાયેલ "નાનકડી વાતો જીવનની." કલાને ક્યારેય કાટ નથી લાગતો.જવાબદારીઓની ધૂળ ખંખેરતા જ કલા સજીવન થઈ જાય એ વાતને સાચી સાબિત કરતા મીના શાહે જીવનનો એક પડાવ પૂરો કર્યા બાદ કલમ પકડી જીવનના અલગ અલગ તબક્કે વ્યક્તિની બદલાતી લાગણીઓ અંગેના અનુભવની વાત આ પુસ્તકમાં કરી છે. કુલ ૩૦ જેટલી ટુંકી વાર્તાઓ તેમજ ૮ જેટલી માઇક્રોફિકસનથી સજેલી આ પુસ્તકની જીવનસાથી નામની વાર્તામાં પિતા પુત્રીનો પ્રેમ છે તો જીવન પ્રવાસ નામની વાર્તામાં સંતાનના જીવનમાં માતાપિતા બંનેના મહત્વની વાત છે. "એકરાર", "ચાંદી કી દીવાર" નામની વાર્તા યુવાનીના પ્રેમ વિશે સમજાવે છે તો સાચો વેલેન્ટાઇન અને આદત પતિ પત્નીના જીવનમાં પ્રેમ અને હૂંફની હકીકત સમજાવે છે. " બાનું લોકડાઉન" અને "સિક્કાની બે બાજુ" નામની વાર્તાઓ આજના યુગમાં સાસુ વહુ વચ્ચે થતી ગેરસમજણ થી થતા ઝઘડાઓ વિશે સમજાવે છે."નાનકડી વાતો જીવનની"આ કોઈ અસાધારણ કિસ્સાઓ કે વાર્તાઓનો સંગ્રહ નથી. પુસ્તકની દરેક વાર્તા જીવનના કે લાગણીઓના એ મુદ્દાઓ પર આધારિત છે જેને દરેક વ્યક્તિ સમજતો હોવા છતાં અવગણી લેતો હોય છે.તેમાં પણ મને સૌથી વધારે ગમેલી વાર્તા "અલ્ઝાઇમર" તેમજ "૨૦૫૦ની નારી"આજના યુગમાં નવો દ્રષ્ટિકોણ પૂરો પાડે છે. પુસ્તકની સારી વાત એ છે કે કોઈપણ વાર્તા ૨ પેજથી વધુ નથી તેમજ ભાષા પણ એકદમ સમજાય તેવી સરળ છે. insta-divyamodh96 (diya's poetry)
#bookreview પુસ્તક નામ: ક્ષિતિજ ને પાર લેખક: અવિરત "ક્ષિતિજ ને પાર" અનાયાસે હાથમાં આવેલું એક પુસ્તક જે "અવિરત" નામના લેખક દ્વારા લખવામાં આવ્યું છે. પુસ્તક શેના વિશે લખાયું છે એ જણાવતા પહેલા એક વાત કહી દઉં કે, જે લોકોને પુસ્તકના દેખાવ અને એનું પ્રેઝન્ટેશન જોઈને પુસ્તક લેવાની આદત હોય એવા વાચકો માટે આ પુસ્તક કદાચ નથી. પુસ્તક વાંચતી વખતે એવું પણ લાગ્યું કે કોઈ વ્યક્તિએ સામાન્ય વર્ડપેડમાં લખેલી સ્ક્રિપ્ટ છાપી દીધી હોય . "ક્ષિતિજ ને પાર" પુસ્તક એક મોટીવેશનલ પુસ્તક છે. આ પુસ્તકમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે જો વ્યક્તિ પોતાની અંદર છુપાયેલી ક્ષમતાઓને વિકસાવવામાં ધ્યાન આપે તો એ વ્યક્તિ જીવનમાં અચૂક સફળતા મેળવી શકે. બીજી મોટીવેશનલ પુસ્તકની જેમ જ આ પુસ્તક પણ જીવનની સફળતા માટે "એકાગ્રતા", "આત્મવિશ્વાસ" જેવા પસાઓના મહત્વને દર્શાવે છે અને સમજાવે છે કે જીવનમાં શું નથી મળ્યું તેની ફરિયાદ કરવા કરતાં, તેના અંગે વિચાર કરી સમય બરબાદ કરવા કરતાં તમારે જીવનમાં શું મેળવવું છે ?અને હાલમાં તમારી પાસે શું છે? તેમજ તમારી પાસે રહેલી ક્ષમતાનો ઉપયોગ કરી તમે સફળતા કેવી રીતે મેળવી શકો છો? એના વિશે વિચારતા રહેવું જોઈએ કેમ કે તમારી સફળ થવાની તીવ્ર ઈચ્છાઓ અને સફળતા માટેના સતત વિચાર જ તમને જીવનમાં સફળતા મેળવવા માટેના નવા ઉપાયો તરફ લઈ જાય છે. આ પુસ્તક વાંચતી વખતે મને "જોસેફ મર્ફી" નામના લેખક દ્વારા લખાયેલ "પાવર ઓફ સબ કોનસિયસ માઈન્ડ" પુસ્તકની યાદ આવી. જો તમે પણ એ પુસ્તક વાંચ્યુ હશે તો આ પુસ્તકની વાતો કદાચ તમને કોઈ ખાસ પ્રેરણા નહિ આપી શકે. પુસ્તકની સારી બાબત એ છે કે, આ બધા સફળતાના સૂત્રો લેખકે એક યુવાન ગરીબ છોકરીના જીવનની સફરને વર્ણવતી હૃદયસ્પર્શી વાર્તા દ્વારા સમજાવ્યા છે જેના લીધે તમને પુસ્તક વાંચવામાં થોડો રસ જરૂર પડશે. કેથરીન નામની એક ગરીબ પરિવારની છોકરીને અચાનક એક ડાયરી મળે છે અને એ ડાયરીમાં લખાયેલ કેટલીક વાતો એના જીવનની સાચી દિશા શોધવામાં મદદરૂપ બને છે. કોઈપણ મોટીવેશનલ પુસ્તક તમારા જીવનમાં ત્યારે જ ફેરફાર કરી શકે, જ્યારે એ પુસ્તકમાં લખાયેલી વાતોનો અમલ તમે તમારા જીવનમાં કરો આ વાતને લેખકે કેથરીનની બદલાતી આદતો અને તેને લીધે તેના વ્યક્તિત્વમાં આવતા ફેરફાર દ્વારા ખૂબ સારી રીતે વર્ણવી છે. પણ જો તમે કઈક નવું વાંચવાની અપેક્ષા રાખતા હોય તો આ પુસ્તક તમારા માટે નથી અને જો તમે કોઈ બીજાના જીવનમાંથી પ્રેરણા લઈને પોતાના જીવનને બદલી શકતા હોય તો તમારે એકવાર આ પુસ્તક વાંચવું જોઈએ. -diya's poetry (Divya modh)
મળેલા જીવ લેખક : પન્નાલાલ પટેલ કિંમત: ૨૪૦રૂ. પ્રકાશન વર્ષ:૧૯૪૧ "મળેલા જીવ" એ ગુજરાતી સાહિત્યના જાણીતા લેખક પન્નાલાલ પટેલ દ્વારા લખાયેલ એક પ્રેમકથા છે. જે સૌપ્રથમ ફૂલછાબ નામના દૈનિકમાં પ્રકાશિત કરવામાં આવી હતી જે બાદ વર્ષ ૧૯૪૧માં તેને પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કરવામાં આવી હતી.આ પુસ્તક ભલે વર્ષો પહેલા પ્રકાશિત થઈ ગયું હોય પણ એમાં કરવામાં આવેલ સમાજ અને જ્ઞાતિ ભેદને કારણે અધૂરા રહી જતા પ્રેમની વાત આજના સમાજમાં પણ એટલી જ લાગુ પડે છે.એટલું જ નહિ પરંતુ લોકોની અમુક ખોટી ધાર્મિક માન્યતા પર પણ લેખકે આછો કટાક્ષ કર્યો છે. સાથે જ જ્યારે પ્રેમ અને સહનશકિત પોતાની હદ વટાવી જાય છે ત્યારે માણસની શી દશા થાય છે એનું આલેખન પણ લેખકે અંતમાં ગાંડી થઈને આખા ગામમાં રખડતી જીવીના પાત્ર દ્વારા કર્યું છે. સૌપ્રથમ પુસ્તકની પ્રસ્તાવના વિશે વાત કરું તો આ પુસ્તકની પ્રસ્તાવના ઝવેરચંદ મેઘાણી સાહેબે લખી છે. પ્રસ્તાવના મેઘાણી સાહેબે એટલી તો સચોટ રીતે તૈયાર કરી છે કે વાંચ્યા બાદ તો વાર્તા વાંચવાની તાલાવેલી વધી જ જાય . તેમણે આ વાર્તાના પાત્રોને ઉદ્દેશીને પણ જે સવાલ કર્યા છે કે આખીયે જે ઘટના બને છે , જીવી અને કાનજી નામના બે મુખ્ય પાત્રોના જીવનની જે દુર્દશા થાય છે તેમાં વાંક કોનો? આ સવાલો વાચકના મનને પણ વાર્તા વાંચતી વખતે થશે જ. સાથે જ વાર્તાકારે વાપરેલી તળપદી ભાષા અને વચ્ચે ક્યાંક ક્યાંક લખેલા દોહરા વાચકને આપણી લોકબોલી અને લોકસાહિત્યમાં પણ રસ જન્માવવા મદદરૂપ બને છે અને વાચકને વાર્તા સાથે જકડી રાખે છે. "મળેલા જીવ"ની કાનજી અને જીવીની આ પ્રણય કથા કાનજીના ઉધડિયા ગામના પોતાના મિત્રો સાથે મેળામાં જતા અને એ મેળામાં જોગીપરા ગામેથી આવેલી જીવી સાથે અજાણતા જ મેળાની ચકડોળમાં બેસી જતા શરૂ થાય છે અને પ્રણયકથા અને વાર્તાનો અંત પણ એક મેળામાં બંનેના મિલનથી જ થાય છે, ફરક છે તો બસ એ જ કે અંતમાં કાનજી અને જીવી નામના બે મળેલા જીવ, બે પ્રેમી એકબીજાને મળે તો છે પરંતુ અલગ અલગ દિશામાંથી આવી આ મેળામાં એક થતાં પહેલાં જીવી અને કાનજી એ વેઠેલી વ્યથાઓ અને તડપને વ્યક્ત કરતા લેખક લખે છે: . 'શીદ મેલ્યું 'લ્યા ઝરમર કાળજું! ભૂલ્યો ભૂલ્યો ભલા ભગવાન!' એક હૈયામાં ઉઠેલી લાગણીઓને લીધે જ કાનજી અને જીવીને અનેકગણું સહેવું પડ્યું અને હૈયાની લાગણીઓને લીધે જ તો આખીયે વાર્તા ઘડાઈ હતી. ટુંકમાં કહું તો "મળેલા જીવ" એટલે જેને વાંચતા વાંચતા આપણો જીવ અધ્ધર થઈ જાય એવી એક ગામડાની પ્રમગાથા જે કુલ ૨૨ પ્રકરણમાં વણાયેલી છે. જેમાં પોતાના પ્રિયપાત્રને પરિવારથી છૂપાઈ ને મળવાનો હરખ પણ છે અને પોતાના પ્રિય પાત્રને લોકલાજે અને સમાજના ડરથી કોઈ બીજાને સોંપી દેવાની વેદના પણ છે. આ જ વાર્તાનો એક દોહરો જે આજના યુવાન હૈયાની અને સમાજને લીધે અલગ થયેલા પ્રેમીઓની મનોદશાનુ વર્ણન કરી આ વાર્તાને અત્યારના સમય સાથે પણ સાંકળી લે છે: "ભૂલ્યા ભુલાશે મહિયર માળખાં, ભૂલી જશું મોસાળે વાટ;.. ભૂલી જવાશે કો અભાગિયાં, ભૂલી જવાશે પ્રીતની રીત; પણ નહિ રે ભુલાય એક આટલું : કોક દન કરી'તી પ્રીત." એટલે સમાજ, આબરૂ અને સંબંધ સાચવવા માટે ભલે બે પ્રેમ કરનાર વ્યક્તિઓએ અલગ થવું પડતું હોય પરંતુ બંનેના હૈયામાં એકબીજાને ચહ્યાની યાદ તો હમેશા અકબંધ રહેવાની જ . --divyamodh (diya's poetry) પ્રથમવાર બૂક રિવ્યૂ લખવાની કોશિશ કરી છે તો તમારા પ્રતિભાવ જરૂરથી જણાવશો.
કરવો છે એક સવાલ ઓલા ઈશ્વરથી મારે, ખુદ તો જમતો તું સ્વાદિષ્ટ ભોજનનો થાળ તો અહી ,ગરીબોને કા તું ભુખા મારે? કરવો છે એક સવાલ ઓલા ઈશ્વરથી મારે, ખુદ તો રાખતો તું ચાર ચાર હાથ તો માણસને કા તું બે હાથ માટે પણ રડાવે? કરવો છે એક સવાલ ઓલા ઈશ્વરથી મારે, ખુદ તો બની બેઠો તું અનોખી શકિતનો માલિક તો અહી કા લોકોને તું શરીરથી લાચાર બનાવે? કરવો છે એક સવાલ ઓલા ઈશ્વરથી મારે, ખુદ તો મેળવી લીધો તે બ્બે માતાનો પ્રેમ તો , અહી કા બાળકોને તું સાવ અનાથ બનાવે? કરવો છે એક સવાલ ઓલા ઈશ્વરથી મારે ત્યાં તો સાંભળી લીધી તે સુદામા ને દ્રૌપદી બંનેની પુકાર, તો અહી કા તું એકેયની લાજ બચાવવા ના આવે? -diya's poetry
બંધ બારણે રહેવું હવે ફાવી ગયું, અમને મૌન રહીને જ બધું કહેવું હવે ફાવી ગયું; કેટલાય કારણો હોવા છતાં, એ રંજાડતા નથી હવે, લાગે છે, દર્દોને ય દિલમાં જ હવે દબવું ફાવી ગયું. -Diya's poetry
happy holi friends..
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2023, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser