ragbhumi ni yad books and stories free download online pdf in Gujarati

રંગભુમી ની યાદ


આજે તો આપણે મરેલા મનોરંજન ના હેવાય થઇ ગયા છીયે બાકી તો  આપણી રંગ ભુમી ના નાટકો..આપણી રંગભુમી ના ગીતો જે આપણ ને અને આપણી આગવી પેઢી ને કઇક સુ સંસ્કારો આપતા'તા એના બદલા મા આપણે શુ આપ્યુ....?માત્ર ને માત્ર સમાજ મા થી જાકારો જે આપણ ને સાચી સમજણ આપતા પાપ ના મારગે જઇ રહેલા માણસ ને સત્ય મારગ નો રાહ બતાવતા આપણા દેશી નાટકો જે ગામડે ગામડે ભજવાતા ને એ કાળ ના આપણા ભોળુડા માનવી ઓ હોશે હોશે જોતા...ઇતિહાસ ના પાના ઉખેળતા જાણવા મળે છે કે રામાયણ..મહાભારત...રાજા હરીચંન્દ્ર..શિબી રાજા..જેવા સત્ય નો રાહ બતાવતા નાટકો નો આપણા દેશ ના ઘણા બધા મહાપુરૂષો ના જીવન પર પડેલી બચપણ મા થી જ પડેલી એ અસર જીવન ના અંત સુધી રહેલી ને જીવન રૂપી વૃક્ષ ના મુળ મા રહેલા નાટકો ના સત્ય નુ પાણી મળતુ રહેલુ...આ આપણા નાટકો અને એ નાટકો ને ભજવતા આપણા કલાકારો કેમ બિચારા થઇ ને ફરે છે ગામડે ગામડે ભજવાતા નાટકો આજે બંધ થઇ ગયા છે એવુ કહીયે તોય ખોટુ નહી...આજે ગામડા મા નવરાત્રી ના સમય મા કયાક કયાક જોવા મળીજાય છે બાકી જેમ દિવા મા દિવેલ ખુટતુ જાય ને અને જ્યોતિ ઝાંખી પડતી જાય એમ આપણા નાટકો રૂપી જ્યોતી ઝાંખી પડતી જાય છે એને આજે દિવેંલ ની જરૂર છે જે દિવેલ એટલે પ્રેક્ષકો છે આપણે જ જોવા નહી જઇએ તો કલાકારો નો ઉમંગ આથમી જશે ને સાથો સાથ આપણા અણમોલા નાટકો ની જ્યોતી આથમી જશે અને એના માટે સરકારે પણ આંખ ઉઘાડવા ની જરૂર છે જેમ મરી રહેલા માનવી ને બચાવ્વા ની કોશીસ કરીયે છીયે એટલી તા'તી જરુર છે.....આજે આપણે એટલે કે આપણુ ગુજરાત આપણી અસ્મિતા બચાવ્વા મા બહુ જ પાછળ છે એવુ કહી શકાય નાટકો આપણુ ઘરેણુ છે એ ઘરેણુ સાચવ્વા ની જરૂર છે નહીતર આ મોઘા મુલુ ઘરેણુ ખોવાય જશે ને દિવો લઇ ને ગોતવા જશોતોય જડશે નહી
                                  નાટકો નો ઉદ્ભભવ કયારે થયો કોણે કર્યો કયા પ્રદેશ માથી ઉદ્ભભવ થયો એ કહેવુ બહુ જ મુશ્કેલ છે પણ નાટકો એક સમાજ નુ દર્પણ છે એ વાત સોક્કસ છે આગળ ના સમય મા પાચ પાચ દસ દસ ઝુપડા ના સમુહ મા થી નાટકો નુ સર્જન થયુ છે...એ કાળ મા કોઇ મનોરંજન નુ સાધન ન હતુ આખો દીવસ કામ કરી ને થાકી ગયેલો માનવી સાજે વાળુ પાણી કરી ને પથારી મા પડવા ના બદલે કોઇ ગીત ગાઇ ને ભજન ગાઇ ને કે વાજીંત્ર વગાડી ને કે આખા દિવસ મા જોવા મળેલા દિલ ને સ્પર્શી ગયેલા દ્રષ્યો ને સાજે થોડુ ઘણુ સ્વરૂપ આપવા ની કોસીશ થતી અને આમ આખા દિવસ નો થાક ઉતારતા અને પછી પથારી મા પડી ને મિઠી મજા ની નિદ્રા લેતા આમ કરતા કરતા સમય જતા સંપુર્ણ નાટક નુ સ્વરૂપ મળી ગયુ ત્યાર પછી ના સમય મા અમુક લોકો દ્વારા નાટકો ભજવ્વા ની પરંપરા સરૂ થઇ જેમા સમુહ ભળતો ગયો આમ નખાયો આપણા નાટકો ની ઇમારત નો પાયો પછી તો સમય જતા નાટકો એક અમુક સમુદાય નો આજીવિકા નુ સાધન બની ગયુ નાટકો ભજવ્વા માટે ગામડે ગામડે જવા લાગ્યા અને જે કાઇ મળે એમા એ લોકો નુ ગુજરાન ચાલતુ અરે ભાઇ સમય જતા તો નાટકો ની બોલબાલા નો સમય આવ્યો કારણ કે સમાજ મા બનતી ઘટના ને નાટકો મા વણવા મા આવી સાથે સાથે પેટ પકડાવી ને હસાવતા
''હરાયા''(કોમડીયન પાત્ર)નો સમાવેશ કરવા મા આવ્યો....પણ ભાઇ શુ વાત કરૂ પાત્ર કેવા ભજવાતા...શુ પાત્ર'તા હતી....!આ...હા,,,,હા....રાજા ભરથરી નુ પાત્ર ભજવનાર ભવાયા ને કોઇ મહારાજા એ કહેલુ કે તારા પર હુ રાજી થયો છુ લે આ સોના ના તોડા દાન મા આપુ છુ(તોડા એટલે રાજા મહારાજા ઓ ને પગ મા પહેરવા નુ નક્કોર ઘરેણુ જે 500ગ્રામ નો એક તોડો થાય એટલે બે તોડા એક કિલ્લા ના થાય)ત્યારે એ કલાકારે કેવો જવાબ આપ્યો ખબર છે...કે હુ બાણુ લાખ માળવા નો ધણી છુ એ તોડો મારી સામે કઇ જ ન કહેવાય...આજે વર્ષો પછી પણ પ્રણામ કરવા નુ મન થાય કારણ કે પાત્ર ભજવનાર ને ખબરજ હોય છે કે આપણે તો રાત ના રાજા કહેવાઇ સવારે તો આ સપનુ સંકેલાય જવા નુ છે એટલે જે મળે તે લઇ લેવા મા જ લાભ છે પણ નહી પાત્ર ને અન્યાય ન થાય ભલે ને લાખો જતા કરવા પડે આ આપણા મોઘા મુલા નાટકો ના કલાકારો...રામયણ ના નાટક ભજવતા કલારારો ની વાત કરૂ તો એક વાત લખવા નુ મન થાય કે જયારે કૈંકેય કહે કે મારા ભરત ને ગાદી ને રામ ને ચૌદ વરષ નો વનવાસ સાંભળતા ની સાથે પાત્ર ભજનાર માણસ પાત્ર ભજવ્વા ખાતર ઘરતી માથે ઢળી પડે ને પછી કયારેય ઉભો ન થાય આના થી પછી કઇ પાત્ર'તા હોઇ શકે....!આપણો રંગમંચ નો રાજા જેને કહી શકાય એવા ઉપેન્દ્રભાઇ ત્રિવેદી ના મુખે થી લોક ગાયક ગુજરાત મા એક વાત સાભળેલી કે જ્યારે રા'નવઘણ નુ સુટીંગ સરુ હતુ ને અમારે કાળી ચકલી બની ને આઈ વરૂડી ભાલે બેચે એ સિન લેવા નો હતો વિચાર કર્યો કે બનાવટી ચકલી લગાડી ને સિન લઇ લેશુ નક્કી થયુ દરીયા કિનારે બધી ગોઠવણી થઇ ગઇ ને સિન લેવા નો સમય થયો ત્યા આભે થી ચકલી આવી ને ભાલે બેચી ગઇ ને હકીકત નો સિન લેવાય ગયો આને કહેવાય પાત્ર'તા અહી હેમુભાઇ ગઢવી નુ હોવુ મને જરુરી લાગે છે હેમુભાઇ ને ખાલી હેમ નુ ઘરેણુ કહી છુ તો નહી ચાલે કારણ કે હેમુભાઇ તો આખે આખો હેમ નો ઢેખળો હતો ભાઇ ગોતવા બેહો તો કયાય લોઢા ની કણી ન જોવા મળે આ આપણા હેમુભાઇ તો આપણી રંગભુમી ના પ્રાણ હતા ભાઇ...હેમુભાઇ ભારત પાકીસ્તાન કે પછી ચિન સાથે ના યુધ્ધ વખતે નાટક ભજવી ભજવી ને લોક ફાળો એકઠો કરતા હતા જે આકાશવાણી ના નેજા હેઠળ કામગીરી ચલાવતા હતા એમા(હુ એ ગામ નુ નામ ભુલી ગયો છુ માફ કરશો)ત્યા નાટક ભજવેલુ તો ત્યા થી ત્રણ કિલ્લો સોનુ ને એ પ્રમાણ મા ચાંદી ને રોકડ રકમ મળેલી પણ મન જરા પણ ખરાબ કર્યા વિના બધુ જ ફંડ મા નાખી ને દેશ ની ભક્તિ નુ ઉદાહરણ પુરૂ પાડીયુ આ રંગભુમી ના મહાનાયક  પડધરી ગામે રાહડા નુ રેકોડીંગ કરવા ગયા અને ત્યા થી પરબારા સ્વર્ગે સિધાવી ગયા...
                        શ્રી ટપુભાઇ દેગામા કહે છે કે હુ હાજીભાઇ અને હેમુભાઇ અમે ત્રણેય પડધરી ગયા ને ત્યા ગયા એટલે બહેનો બધી આવી ગઇ ને રેકોડીંગ સરૂ થયુ એક રાહડો ગાયો ને પુરો થવા આવ્યો કે હેમુભાઇ મારા ખોળા મા ઢળી પડીયા તરત જ ડોક્ટર બોલાવ્યા એટલે ડોકટરે કહ્યુ કે હેમુભાઇ ને હાલત ખરાબ છે એટલે રાજકોટ લઇ જવામા આવ્યા અને ત્યા ગયા પછી વસમી ઘડી આવી પહોચી....પણ મને લાગે છે કે હેમુભાઇ પડધરી ગયા હશે ને પડધરી ગામ ની નારી ઓ એ એવા રાહડા ગાયા હશ્ કે ઇ કરૂણ રાહડા મા આપણા હેમુ ભાઇ એવા તો ખાવાય ગયા હશે કે ચ્વાછ લેવા નુ શુકી ગયા હશે આને કહેવાય ખરી પાત્ર'તા આવા આપણા કલાકારો ને લાખ લાખ વંદન....આપણુ આ જીવતુ મનોરંજન આજે ઝાંખુ પડી રહ્યુ એ એક દુખ ની વાત છે આ નાટકો માથી રૂપાંતરીત ફિલ્મ રચીકો ને મારી વિનંતી કે નાટક આપણી કલા ની ધરોહર છે એ નિહાળવા ની આછી પાતળી આદત પાડજો તો આપણી ધરોહર રાજી થશે  

                    લેખક...રામભાઇ આહીર