#રેવા #movie_review
"નમામિ દેવી મા નર્મદા"
"માનો તો માં અને ન માનો તો એક નદી"
અમરકંટક પર્વતમાંથી ખડખડ વહેતી નર્મદા નદીની પરિક્રમા નું મહત્વ દર્શાવતી આ રેવા ફિલ્મ. આ ફિલ્મ નું દિગ્દર્શન રાહુલ ભોલે અને વિનિત કનોજિયાએ કર્યું છે. ગુજરાતી લેખક ધ્રુવ ભટ્ટ ની ૧૯૯૮ ની ગુજરાતી નવલકથા તત્વમસિ પર આધારિત છે. આ ફિલ્મ માં આ નવલકથા બતાવામાં આવે છે ત્યારે મને વિચાર આવે છે કે આ પુસ્તક અને ફિલ્મ વચ્ચે શું સંબંધ. ઓનલાઇન સર્ચ કરી આ માહિતી મેળવવી.પણ આ ફિલ્મ ની પટકથા દિગ્દર્શકોએ લખી છે. આ ફિલ્મ ના બધા જ પાત્રો એ ખૂબ સરસ અભિનય કર્યો છે. કરણ,સુપ્રિયા, ગુપ્તાજી, ગાંડુ ફકીર, શાસ્ત્રીજી, પુરીયા, કાલેવાળી મા, બીટ્ટુ-બંગા અને બીજા બધા પણ. આ ફિલ્મ નો એક સંવાદ જે મને બહુ ગમ્યો.
"ધર્મમાં શ્રદ્ધા ન હોય તો ચાલશે, પણ માણસને શ્રદ્ધા હોવી જોઈએ. આ દેશ આધ્યાત્મક પર ટકીઓ છે ધર્મ પર નહીં. સમય બદલાય તેમ ધર્મને પણ અપડેટ કરવા વાળી છે આપણી સંસ્કૃતિ. આપણે ઈશ્વરના ભક્તો છીએ ધર્મના નહીં." સરસ ગુજરાતી ફિલ્મ છે.