બે શબ્દ...માતૃભારતીના લેખકોને
મે માતૃભારતીના ઘણા ખરા ફ્રેન્ડસની અલગ અલગ તેમની રચનાઓ આજ સુધી વાંચતો રહ્યો છું ને મને દરેકની રચનાઓ ઘણી જ સુંદર ને સરસ લાગીછે તેમાં કોઇ શક નથી...
એ વાત સાચીછે કે કોઇ આજે કાગળ ઉપર શબ્દની બે લાઇન લખશે તો કાલે તે ખરેખર ચાર લાઇન લખી શકશે..કલમ ચાલતી હોય તો તેને ચાલતી જ રહેવા દો..
કહેવાનો મતલબ એ છે કે કોઇ જન્મથી શીખીને નથી આવ્યુ પરંતું તેના માટે આગળ જવા પહેલેથી જ વધુ મહેનત કરવી પડતી હોયછે ને તે જ મહેનત પાછળથી અનેરો રંગ લાવેછે આજનો નાનો કવિ કાલે મોટો કોઇ લેખક બની શકેછે...બેશક
માટે દરેક માતૃભારતીના કવિ, લેખકો જે કંઈ હોય તેમને પોતાની જાતને આગળ લાવવા વધુ ને વધુ મહેનત કરવા એક વિનંતી...
આપણી સફળતા આપણા કદમોમાં જ હોયછે બસ તેને પ્રાપ્ત કરવાની જ જરુર છે નસીબ જરુર સાથ આપશે...