સુરતમાં મારા 13મા અને 14મા પુસ્તક 'ચિંતન ક્વૉટ' અને 'ચિંતન સ્ટોરીઝ'નું વિમોચન સુપ્રસિદ્ધ કથાકાર પૂજયશ્રી રમેશભાઈ ઓઝા- ભાઈશ્રી તથા જાણીતા સમાજસેવી શ્રી ગોવિંદભાઈ ધોળકિયા, આદરણીય ચંપાકાકી તથા જ્યોતિના હસ્તે થયું. આ પ્રસંગે 'જીવન અને સુખ' વિશે વક્તવ્ય આપવાનો આનંદ થયો. ભાગવત કથા પ્રવાહ દરમિયાન હજારો લોકોની હાજરીમાં વ્યાસપીઠ પરથી બે પુસ્તકોના વિમોચનના યાદગાર પ્રસંગની તસવીરી ઝલક.