મારા નવા બે પુસ્તકો, ‘ચિંતન ક્વૉટ' અને ‘ચિંતન સ્ટોરીઝ’ : થોડા જ સમયમાં મારા વધુ બે પુસ્તકો પ્રસિદ્ધ થઇ રહ્યા છે. ‘ચિંતન ક્વૉટ' જે રોજ અમે સોશિયલ મીડિયા મૂકીએ છીએ એનું કલેકશન છે. ‘ચિંતન સ્ટોરીઝ’ ચિંતનની પળે કોલમમાં લેખની વચ્ચે આવતી નાની નાની વાર્તાઓનો સંગ્રહ છે. નવભારત સાહિત્ય મંદિર દ્વારા પ્રસિદ્ધ થનારા આ બંને પુસ્તકો મારા અગાઉના બાર પુસ્તકોની જેમ જ તમને ગમશે એવી શ્રદ્ધા છે. આભાર.