ધનલાભ ઈચ્છતા હોય તો ઘરે લાવો ચાંદીના ગણેશ અને રોજ કરો પૂજા, આંકડાના ગણેશ દૂર કરે છે દરેક દોષ
જ્યોતિષ અને તંત્રશાસ્ત્રમાં દેવી-દેવતાઓના વિભિન્ન સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. ભગવાન શ્રીગણેશના અનેક રૂપોની આરાધના પણ વિશેષ કાર્યસિદ્ધિઓ માટે કરવામાં આવે છે. ભગવાન શ્રીગણેશના આ રૂપોનું જો વિધિ-વિધાનથી પૂજા કરી પૂજા ઘરમાં સ્થાપિત કરવામાં આવે તો સમસ્યાનું નિદાન થઈ જાય છે અને દુર્ભાગ્ય દૂર થઈ જાય છે.
જાણો શ્રીગણેશના આ વિશેષ સ્વરૂપો વિશે-
1-ચાંદીના ગણેશ-
જે લોકો ધનની ઈચ્છા રાખતા હોય તેમને ચાંદીથી બનેલ ગણેશની મૂર્તિની પૂજા કરવી જોઈએ. તેમને પોતાના ઘરના પૂજાઘરમાં સ્થાપિત કરી દૂર્વા ચઢાવવાથી ધન-સંપત્તિમાં વધારો થાય છે.
3-મૂંગાના ગણેશ-
મૂંગા લાલ રંગનો એક રત્ન હોય છે. તેનાથી નિર્મિત શ્રીગણેશની મૂર્તિની પૂજા સ્થાન પર સ્થાપિત કરીને રોજ પૂજા કરવાથી દુશ્મનોનો ભય સમાપ્ત થઈ જાય છે.
3-પન્નાના ગણેશ-
પન્ના લીલા રંગનો એક રત્ન હોય છે. તેનાથી બનેલ શ્રીગણેશની મૂર્તિને ઘરમાં સ્થાપિત કરી પૂજા કરવાથી મગજ તેજસ્વી થાય છે અને સમાજમાં માન-સન્માન પણ મળે છે.
4-ચંદરના ગણેશ-
ચંદનની લાકડીથી બનેલ ગણેશની મૂર્તિ ઘરમાં ક્યાંય પણ રાખી શકો છો. તેનાથી ઘરમાં કોઈ પ્રકારની કોઈ પરેશાની નથી આવતી સાથે જ પરિવારના સદસ્યોમાં સામજસ્ય ટકી રહે છે.
5-સફેદ આંકડાના ગણેશ-
જ્યોતિષ ઉપાયોમાં સફેદ આંકડાના લાકડાથી બનેલ શ્રીગણેશનું વિશેષ મહત્વ હોય છે. તેને શ્વેતાર્ક ગણેશ પણ કહે છે. શ્વેતાર્ક ગણેશની પૂજા કરવાથી બધા પ્રકારના દોષ શાંત થાય છે.