છે વરસાદના જેવો જ મારો પ્રિયતમ
આવશે એવું લાગે પણ વરસતો નથી...
રીઝવીને થાકી આજ રાધા એને પણ
બ્રિજપતિ મળવા આવતો જ નથી...
કોઈ કહી દો આજ જઈને એને પણ
રાધા છે હઠીલી મળ્યા વિના રહેવાની નથી...
તું આવ બ્રિજવન માં હવે તો જલદી
નહીં તો હું ઘરે આવ્યા વિના રહેવાની નથી..
તું કહે છે નંદ યશોદા ને મારી વાત??
નહીં તો હું કહ્યા વિના રહેવાની નથી...
તું આવે તારી ફૂરસદે એ ન ચાલે
હવે મારામાં પણ ધીરજ નથી..
-કુંજદીપ.