પ્રણય પરિણય - ભાગ 27

(25)
  • 3.1k
  • 1
  • 2.2k

પાછલા પ્રકરણનો સાર:ગઝલ બેહોશ થઈને ઢળી પડે છે. તેને પૂજા કરાવનાર રઘુ જ હોય છે. ગઝલને લઈને વિવાન અને રઘુ પગથિયાં ઉતરીને નીચે આવે છે, જ્યાં નીશ્કા રાહ જોઈને બેઠી હતી. વિવાન તેમને મદદ કરવા બદલ નીશ્કાનો આભાર માને છે ત્યારે નીશ્કા કહે છે કે તેને તેની બચપણની સહેલીની ચિંતા હતી. તે મલ્હારના ચારિત્ર્ય અને લાલચુ સ્વભાવને જાણતી હતી. તેણે આ બધું ગઝલને ખોટા હાથમાં જતી બચાવવા માટે કર્યું છે. અને વિવાનને કહે છે કે ગઝલ સાવ ભોળી છે, નાના બાળક જેવી છે. એને પ્રેમથી સમજાવશો તો તમારુ બધુ માનશે પણ જોર જબરદસ્તી કરશો તો એ પણ સામી જીદે ચડશે.