લાગણીઓનું શીતયુદ્ધ - પ્રકરણ 12

  • 1.9k
  • 1
  • 539

પ્રકરણ - 12 જ્યારે અમુક રહસ્યો ઉજાગર થવાના હોય ત્યારે, ન તો એને રોકી શકાય છે કે ન તો કાબૂમાં રાખી શકાય છે. કારણ કે કુદરતે તેને નિશ્ચિત સમયે જ ઉજાગર કરવાનો કારસો રચ્યો હોય છે. આખી રાત દરમ્યાન, નુપૂરે અનંતની અંગત ડાયરી વાંચી નાખવા માટે એક પણ ક્ષણ જવા દીધી ન હતી. લગભગ તેણે બધા જ પન્ના, કારણો, બનાવો, સંજોગો, જેમાંથી પસાર થયા પછી અનંત આવો કડક, ખડ્ડૂસ અને નિષ્ઠુર બની ગયો હતો. ઘણી વખત નુપૂરના મનમાં અનંતના આ વિચિત્ર વર્તાવને લગતા પ્રશ્નો ઉદભવતા હતા, પરંતુ આજે તેણે એક જ રાતમાં એ તમામ સવાલોના જવાબોને મેળવી લીધા હતા.