રામાયણ – શ્રીરામ જન્મ

  • 5.5k
  • 4
  • 2k

શ્રી ગણેશાય નમ:કબિ ન હોઉઁ નહિ ચતુર કહાવઉઁ। મતિ અનુરૂપ રામ ગુન ગાવઉઁ।।કહઁ રઘુપતિ કે ચરિત અપારા। કહઁ મતિ મોરિ નિરત સંસારા॥પ્રભુ શ્રી રામનું ચરિત્ર અપાર છે અને હું તો સંસારમાં આસક્ત પામર મનુષ્ય છું, છતાં પોતાની બુદ્ધિ અનુસાર રામાયણ વિશે અગાઉ બે લેખ લખ્યા બાદ શ્રી રામચરિતમાનસ વિશે સંતના સ્વભાવ, ભગવાનના જન્મના કારણો વગેરે વિશે લખ્યા બાદ શ્રી રામ જન્મ વિશે લખવાની ઇચ્છા હતી. પરંતુ, આજના રામનવમીના પાવન પ્રસંગે થોડા પ્રભુ શ્રી રામ જન્મના ચરિત્રના ગુણ ગાઇએ. પ્રથમ તો બધાને રામનવમીના આ પાવન પ્રસંગની ખૂબ-ખૂબ શુભકામનાઓ….શ્રીમદ્ ગોસ્વામી તુલસીદાસજી દ્વારા રચિત રામાયણનું નામ ‘શ્રીરામચરિતમાનસ’ કેમ છે? તે બાબતે ગોસ્વામીજી લખે છે, “રચિ મહેસ