રેકી ચિકિત્સા - 12 - રેઈકી ના પાંચ મૂળભૂત સિદ્ધાંતો

  • 8.1k
  • 2.4k

રેઈકી ના પાંચ મૂળભૂત સિદ્ધાંતો ડૉ. મિકાઓ ઉસુઈએ તેમના જીવનના સાત કીમતી વર્ષો ભિક્ષુક ગૃહમાં ભિક્ષુકોને રેઈકી સારવાર આપી. તેઓને તંદુરસ્ત કરવામાં આવ્યા કે જેથી તેઓ ફરી પાછા સમાજના પ્રવાહમાં ફરીથી ભળી જઈ સમાજને ઉપયોગી બને. પરંતુ તેમાંના કેટલાક દૈનિક જીવનમાં પોતાની જવાબદારી નિભાવવામાં ઉણા ઉતર્યા અને ભિક્ષુક ગૃહમાં ફરી પાછા આવવા લાગ્યા. ત્યારે તેમણે આત્મખોજ કરીકે તેમાંના પોતાનામાં અથવા રેઈકી શક્તિ લેનાર ભિક્ષુકોમાં ખામી ક્યાં હતી કે તેમને આ કાર્યમાં સફળતા ના મળી. આખરે આત્મખોજ દ્વારા તેમણે રેઈકીના બે ખાસ સિદ્ધાંત બનાવ્યા. 1. રેઈકી શક્તિ કોઈ પણ વ્યક્તિ સામેથી માંગે ત્યાં સુધી આપવી નહીં કારણકે વગર માંગે મળેલ વસ્તુનું