માફી માત્ર માંગવા માટે જ માંગવાની હોય?

  • 2.4k
  • 2
  • 554

તમે કોઈની મજાક કરો છો તો એ મજાક માટે તમે સીરીયસ પણ હોવ છો. તમે રસ્તે ચાલતા કોઇપણ વ્યક્તિની મજાક નથી કરતા, જે વ્યક્તિને તમે જાણો છો તેની જ મજાક તમે કરતા હોવ છો. એવી જ રીતે જ્યારે તમે કોઈની માફી માંગો છો ત્યારે તેમાં પણ ગંભીરતા હોવી જરૂરી હોય છે. કહેવા પૂરતી માફી અથવાતો અપરાધબોધથી છટકવા માટે માંગવામાં આવેલી માફીનો કોઈજ મતલબ નથી હોતો. “क्षमा वीरस्य भूषणम्’ આવું આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે. જેનો મતલબ છે કે જે વ્યક્તિ કોઈની ક્ષમા માંગે છે તે પણ એટલો જ વીર છે. આ વાત ખરેખર સાચી છે, તમારું દિલ કોઈએ દુભવ્યું છે અને