ચિંતનની પળે - સીઝન - 3 - 35

(20)
  • 2.5k
  • 1
  • 596

પ્રેમ માપવાની નહીં, પણ પામવાની ચીજ છે. લાગણીની ફૂટપટ્ટી ન હોય અને સંબંધનું મીટર ન હોય. જેને જીવવાનું હોય એને ગણવાનું ન હોય. માણસ ગણતરીઓ માંડતો રહે છે અને ખોટો પડતો રહે છે. સંબંધ, પ્રેમ અને લાગણીમાં શું મેળવ્યું અને શું ગુમાવ્યું તેના હિસાબ ન હોય. હિસાબ કરવા જઈએ તો દાખલો ખોટો જ પડે, કારણ કે એની ગણતરી જ ન હોય. તમે કોઈ દિવસ શ્વાસની ગણતરી કરી છે? જિંદગીમાં તમે ટોટલ કેટલા શ્વાસ લીધા? આપણું દિલ કેટલી વાર ધબક્યું? આપણે આવી ગણતરીઓ નથી કરતા, કારણ કે એ સહજ છે. શ્વાસ ચાલવાના જ છે, દિલ ધબકવાનું જ છે. સંબંધ પણ એવા જ હોવા જોઈએ. એકદમ સહજ અને સરળ સંબંધ જ સાચો હોય છે. સંબંધને જીવો, મહેસૂસ કરો અને કોઈ જ ગણતરી ન કરો.